________________
૧૨૮
હણ લાગે છે, પણ શાસ્ત્રકારે આપણને સમજાવે છે કેસૂર્ય પિતે એટલો ગરમ નથી. આ આતપ પરિણામ. જીવોના શરીરમાં ઉત્પન્ન કરનાર કર્મ, આતપ નામકર્મ નામે ઓળખાય છે.
હવે આપણે કેટલાંક પ્રાણીઓનાં શરીરે ચમકતાં જોઈએ છીએ. તે ચળકાટ ગરમી પિદા નહિ કરતાં ઠંડક પેદા કરે છે. આવા ઉદ્યોત–ાંતિપ્રભ નામના પ્રાગ પરિ– ણામનું પ્રેરક તે ઉદ્યોત નામકર્મ છે.
આ શીત પ્રકાશરૂપ ઉદ્યોત(ચળકાટ) લબ્ધિવંત મુનિ મહાત્માઓના તથા દેવતાના ઉત્તર વૈકિય શરીરમાં, ચંદ્રગ્રહ-નક્ષત્ર અને તારાના વિમાનની નીચે રહેલા પૃથ્વીકાયના. શરીરમાં, તેમજ કેટલીક વનસ્પતિ વગેરેમાં પણ હોય છે. આ ઉદ્યોતને સ્પર્શ અને પ્રકાશ બ ને શીત હોય છે. ખજુઆ (ચીરંદ્રિય જીવ), મgિ, રત્નાદિકમાં પણ આ વા પ્રકારના ઉદ્યોત છે.
શરીરમાં અમુક અવયવે સ્થિર જોઈએ અને અમુક અવય અસ્થિર પણ જોઈએ. આખું શરીર સ્થિર કે આખું શરીર અસ્થિર હોય તે પણ કામ કરી શકે નહિં. અથવા તે જે અવયવ સ્થિર જોઈએ તે અસ્થિર હોય, અને જે અસ્થિર જોઈએ તે સ્થિર હોય તે પણ કામ કરી શકે નહિ. જેમ અંગોપાંગની રચના શરીરના અમુક સ્થાનને લક્ષીને જ થાય છે; તેમ અવયની સ્થિરતા અને અસ્થિરતા પણ તે તે અવયને અનુલક્ષીને જ થાય છે. જેમ વાળવાં હોય તેમા