________________
૧૨૫
પરિણામ પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સંગ પ્રમાણે વિચિત્ર વિચિત્ર જાતને હોય છે. અને એ વિચિત્ર તામાં કર્મ જ કારણ છે. કયા જીવના શરીરમાં કઈ જાતના. અગુરુ લઘુ પર્યાયનો કઈ જાતને પરિણામ થાય તેને “અગુરૂ લઘુ નામકર્મ” જીવવાર નક્કી કરી આપે છે. એટલે શરીરમાં ઉત્પન્ન થતા અગુરુલઘુ પ્રયોગ પરિણામનું નિયામક તે
અગુરુ લઘુ નામકર્મ ” છે. જેનું સંપૂર્ણ શરીર લોઢા. જેવું ભારે ન થાય, તેમ રૂ જેવું હલકું ન થાય. એવી અગુરુલઘુ પર્યાયવાળી તે શરીરની રચના આ કર્મથી થાય છે. સ્પર્શ નામકર્મ માં ગુરૂ અને લઘુ એ બે સ્પર્શ કહ્યો છે. તે શરીરના અમુક અમુક અવયવમાં જ પોતાની શક્તિ. બતાવે છે. તે બે વિપાક આખા શરીરાશ્રિત નથી. જ્યારે આ અગુરુલઘુ નામકર્મને વિપાક સંપૂર્ણ શરીરશ્રિત છે.
શરીરની રચનામાં એક એવું પણ પરિણામ પ્રગટ થાય છે કે તે પરિણામવાળા શરીરધારી ઓજસ્વી-પ્રતાપી આત્મા, પિતાના દર્શન માત્રથી તેમજ વાણીની પટુતાવડે મોટી સભામાં જવા છતાં પણ તે સભાના સભ્યોને ક્ષેભ પેદા કરે સામા પક્ષની પ્રતિભાને દબાવી દે, બુદ્ધિશાળીઓને પણ આંજી નાખે, સામાને આકર્ષિ લે, અને સામેની વ્યક્તિ ગમે તેટલી બળવાન હોય તો પણ આ પરિણામવાળા શરીરધારી આત્માથી દબાઈ જાય છે. પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે છાવત્તા પ્રમાણમાં આ પરિણામ દ્વારા આત્મામાં