________________
૧૨૬
"ઉત્પન્ન થતી શક્તિ તે પરાઘાત શક્તિ, કહેવાય છે અને તે શક્તિ ઉત્પન્ન કરનાર જે કર્મ તે “પરાઘાત નામકર્મ” છે.
સામેની વ્યક્તિ કરતાં પિતામાં પરાઘાત શક્તિ વિશેષ પ્રમાણમાં હોવાના અને કેટલાક ઉસૂત્ર પ્રરૂપકે–નિહમિથ્યાવાદિઓની પણ અસત્ પ્રરૂપણની અસર અનેક આભાઓ પર તુરત પડી જાય છે, અને તેથી તેવાઓના અનુયાયી વર્ગની સંખ્યા વિશેષપણે વૃદ્ધિ પામવાથી કેટલાક ભદ્રિક આત્માઓના હદયમાં આશ્ચર્ય પેદા થાય છે કે આવા પ્રરૂપકેની પ્રરૂપણું અસત્ હોય તે અનુયાયી વર્ગ કેમ વૃદ્ધિ પામે ? એવી મિથ્યા શંકા આ પરાઘાત નામકર્મનું સ્વરૂપ સમજનારના હૃદયમાં કદાપી ઉપસ્થિત થતી નથી.
પરાઘાત કર્મરૂપ પુણ્ય પ્રકૃતિના ગે આજે અસત્ પ્રરૂપકો ભલે ફાવી જતા હોય, પરંતુ તે પુણ્ય ખલાસ થઈ ગયા બાદ મિથ્યા પ્રરૂપણ કરવાથી બંધાયેલ ઘેર કર્મની વિટંબના એ તો એમને અવશ્ય જોગવવી પડશે. આ પરાઘાત શક્તિથી વિપરીત, ઉપઘાત નામે પરિણામ પણ કેટલાક પ્રાણુના શરીરમાં ઉત્પન્ન થાય છે. કેટલાક પ્રાણુઓના શરીરમાં જરૂરી અંગોપાંગ સિવાય વધુ પડતાં અગોપાંગે આપણે જોઈએ છીએ. જેમકે શરીરની અંદર પ્રતિજિસ્ટ્રા એટલે જીભ ઉપર થયેલી બીજી જીભ, ગાલવૃદક એટલે રસોળી, ચાર દાંત એટલે દાંતની પાસે ધારવાળા નીકળેલા બીજા દાંત, હાથ પગમાં છઠ્ઠી આંગળી, એ વિગેરે, શરીરમાં કાયમી હરકત કરનારાં આવાં વિચિત્ર જાતિનાં અંગોપાંગ રૂપ ઉપ