________________
૧૦૧
ઉંચે ચઢી વધારે શુદ્ધ અને ઉંચા પ્રકારનું થઈ પાછું પૃથ્વી પર આવે છે. જળ તે પૃથ્વી વડે શેષાઈ વિવિધ વનસ્પતિએમાં વિવિધ સ્વરૂપે ઉંચી ઉચી દિશાઓને પામે છે. વનસ્પતિ, પ્રાણીઓ વડે આહારરૂપે ઉપગી બની, રૂધિર, મજજા, અસ્થિ આદિ રૂપે પરિણમે છે. માટી, પથરારૂપે અને પથરા, વિવિધ ખનિજરૂપે અથવા હીરા–માણિક્ય-રત્નના ઉત્કૃષ્ટરૂપમાં રૂપાન્તરને પામે છે. આ રૂપાન્તર થવામાં કેઈની પ્રિરણની અપેક્ષા નહિ રહેતાં માત્ર તે તે પદાર્થોને સ્વભાવ જ તથા પ્રકારનો હોવાનું માનવું તે જ વ્યાજબી છે. જેમ બીજમાં અનાજ શ્વાની ચેગ્યતા છે, પરંતુ તે બીજને અનુકુળ ખાતર–વરસાદ અને ખેડૂતનો જોગ મળેથી જ બીજમાંથી અનાજ તૈયાર થાય છે. તેવી રીતે અમુક અમુક નિમિત્ત કારણેને ચેગ મચેથી દરેક પદાર્થોમાં રહેલા તે તે પ્રકારના સ્વભાવે પ્રગટ થાય છે. આ પ્રમાણે પુદ્ગલ (જડ) પદાર્થને વિવિધ પરિવર્તનથી વિવિધ પદાર્થોનું અસ્તિત્વ સદાના માટે વિશ્વમાં વતી જ રહે છે.
એક વસ્તુનું રૂપાન્તર આપણે સમજી શકીએ છીએ. પરંતુ રૂપાન્તર થતા તે પદાર્થોની મૂળ ઉત્પત્તિ ક્યાંથી થઈ? તે બાબતને વિચાર કરતાં સમજાશે કે કઈ પદાર્થની મૂળ ઉત્પત્તિ તો છે જ નહિં. એટલે નાશ પણ નથી. માત્ર રૂપાન્તર થવાના હિસાબે પર્યા–અવસ્થાઓની આદિ અને અંત કહી શકાય. પરંતુ મૂળ દ્રવ્યને આદિ કે અંત તે નથી જ. જે પુદ્ગલ દ્રવ્યનાં રૂપાન્તરે આપણે જોઈએ છીએ