SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - યુગસા શ્રી કાનજી સ્વામી હિંમતલાલ જે. શાહ B. Sc. સેનગઢ છે વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે ગુરુદેવના જીવનનો પરિચય આ ગ્રંથમાં કરાવ્યું છે છે, તે ઉપરાંત અહીં શ્રદ્ધાંજલિરૂપે તેમણે પૂજ્ય ગુરુદેવ પ્રત્યે હૃદયની જે ભાવે ભિએ વ્યક્ત કરી છે તે મુમુક્ષુઓને આનંદકારી છે. પૂ. બેનશ્રી ચંપાબેનના વડીલ છે. બંધુ શ્રી હિંમતભાઈથી તે સમસ્ત મુમુક્ષુસમાજ પરિચિત છે એટલે એ મુમુક્ષુ રત્નને વિશેષ પરિચય નથી આપ્યો. કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનનું અપાર માહામ્ય છે. પરોપકારી ગુરૂદેવ શ્રી કાનજીસ્વામીએ ઘણાં વર્ષો પહેલાં રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જયંતી પ્રસંગે કહ્યું હતું કે “સમ્યગ્દષ્ટિ બળદની ખરી જે વિષ્ટા ઉપર પડે તે વિષ્ટા પણ ધન્ય છે.” પ્રત્યેક પદાથને પિતાને સ્પર્શમાત્રથી ધન્ય બનાવનાર સમ્યગ્દષ્ટિ-મહાપુરુષની ૭૫મી જન્મજયંતી ઉજવવાનો આજનો પ્રસંગ આપણા માટે અતિ આનંદોલ્લાસને પ્રસંગ છે. ગુરુદેવનું” આંતરિક જીવન ભેદજ્ઞાનમય પરમપવિત્ર હોવા ઉપરાંત બાહ્યમાં પણ તેમને આશ્ચર્યકારક પરમોપકારી પ્રસાવનાયોગ વતે છે, જેને લીધે ભારતવર્ષમાં એક આધ્યત્મિક યુગ પ્રવર્તે છે. સમયસાર પ્રવચનો ની પ્રસ્તાવનામાં પિતાને માટે “યુગપ્રધાન’ શબ્દ લખાયેલે વાંચીને ગુરુદેવે નિર્માનતાને લીધે કહ્યું હતું કે, “મારે માટે બહુ માટે શબ્દ લખી નાખે છે.” પરંતુ ત્યાર પછી થોડા જ વખતમાં પંડિત લાલનજીએ કંઈક વાતથી ઉલ્લાસ આવી જતાં કહ્યું હતું કે “ગુરુદેવ, આપ યુગપ્રધાન નથી પણ યુગઋષ્ટ છે.’ આ રીતે ૫. લાલનજીને ગુરુદેવને માટે “યુગપ્રધાન” શબ્દ મટે નહિ પણ નાને લાગ્યું હતું; “યુગઋષ્ટા” શબ્દ જ યોગ્ય લાગ્યું હતું. ખરેખર પૂ. ગુરુદેવે આ કાળમાં જ્ઞાનમૂર્તિ આત્માને, સમ્યગ્દર્શનના મહિમાને, નિશ્વયનની મુખ્યતાને, દ્રવ્યના સંપૂર્ણ સ્વાતંત્ર્યને, ઉપાદાનનિમિત્તના યથાર્થ તત્વજ્ઞાનને, આધ્યાત્મિક વસ્તુવિજ્ઞાન અને સમયસારને યુગ સર્યો છે. ઘણા કાળથી લેકે કર્મપ્રકૃતિના જ્ઞાનને જ્ઞાન સમજતા, આત્મશ્રદ્ધા વિનાની વીતરાગે કહેલે માગ સાચો છે એવી આંધળી શ્રદ્ધાને સમ્યગ્દર્શન સમજતા, ઉપવાસાદિ દૈહિક કષ્ટને ચારિત્ર સમજતા, જેમ ભીનું વસ્ત્ર તડકે સુકવવાથી પાણી ઝરી જાય છે તેમ શરીર તડકે તપાવવા વગેરેની કસ્ટ્રક્રિયાથી કર્મો નિજરી જશે–આવી આવી તત્ત્વજ્ઞાનશૂન્ય માન્યતાઓ પ્રવર્તતી. અબાધિત સુવિજ્ઞાન સિદ્ધાંતની કસોટીમાંથી પાર ઉતરી શકે ' , એ વીતરાગપ્રણીત સદ્ધર્મ વૈજ્ઞાનિક ભૂમિકા ઉપરથી સરી પડીને રૂઢિચૂસ્ત સાંપ્રદાયિકતામાં અને ક્રિયાકાંડમાં અટવાઈ ગયો હતો. “વીતરાગે આમ કહ્યું છે માટે તે ખરું હશે, આપણે - ' ' Trty છે. આE TE, - -- - કમ છે મુકે , પણ જ ર
SR No.011511
Book TitleKanjiswami Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorFulchandra Jain Shastri, Himmatlal Jethalal Shah, Khimchand Jethalal Shah, Harilal Jain
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year1964
Total Pages195
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy