SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ७) कानजीस्वामि-अभिनन्दन ग्रंथ लिन - નંદન પાર ન રહ્યો. મહારાજશ્રીના અંતજીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું. ઉપગઝરણાનાં વહેણ અમૃતમય થયાં. જિનેશ્વર દેવના સુનંદન ગુરુદેવની જ્ઞાનકળા હવે અપૂર્વ રીતે ખીલવા લાગી. અદ્દભુત વ્યાખ્યાનશૈલી અને સમ્યગ્દર્શનને મહિમા સં. ૧૯૧ સુધી મહારાજશ્રીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી બેટાદ, વઢવાણ, અમરેલી, પોરબંદર, જામનગર, રાજકોટ વગેરે ગામમાં ચાતુર્માસ કર્યા અને શેષ કાળમાં સેંકડો નાનાંમોટાં ગામોને પાવન કર્યા. કાઠિયાવાડના હજારે માણસોને મહારાજશ્રીના ઉપદેશ પ્રત્યે બહુમાન પ્રગટયું. અંતરાત્મધર્મનો ઉદ્યોત ઘણો થયો. જે ગામમાં મહારાજશ્રીનું ચાતુર્માસ હોય ત્યાં બહારગામનાં હજારો ભાઈ બેનો દર્શનાર્થે જતાં અને તેમની અમૃતવાણીનો લાભ લેતાં મહારાજશ્રી વેતાંબર સંપ્રદાયમાં રહ્યા હોવાથી વ્યાખ્યાનમાં મુખ્યત્વે શ્વેતાંબર શાસ્ત્રો વાંચતા (જે કે છેલ્લા વર્ષોમાં સમયસારાદિ પણ સભા વચ્ચે વાંચતા હતા.) પરંતુ તે શામાંથી, પોતાનું હૃદય અપૂર્વ હોવાથી, અન્ય વ્યાખ્યાતાઓ કરતાં જુદી જ જાતના અપૂર્વ સિદ્ધાંતે તારવતા. વિવાદના સ્થાને છેડતા જ નહિ. ગમે તે અધિકાર તેઓશ્રી વાંચે પણ તેમાં કહેલી હકીકતોને અંતરના ભાવ સાથે મીંઢવીને તેમાંથી એવા અલૌકિક આધ્યામિક ન્યાયે કાઢતા કે જે કયાંય સાંભળવા ન મળ્યા હેય. જે ભાવે તીથ કરનામકર્મ બંધાય તે ભાવ પણ હેય છે....શરીરમાં રમે રોમે તીવ્ર રોગ થવા તે દુઃખ જ નથી, દુઃખનું સ્વરૂપ જુદું છે......વ્યાખ્યાન સાંભળી ઘણું જ બૂઝે તે મને ઘણો લાભ થાય એમ માનનાર વ્યાખ્યાતા મિથ્યાષ્ટિ છે........ આ દુઃખમાં સમતા નહિ રાખું તે કર્મ બંધાશે–એવા ભાવે સમતા રાખવી તે પણ ક્ષમા નથી....પાંચ મહાવત પણ માત્ર પુણ્યબંધનાં કારણ છે.” આવા હજારે અપૂર્વ ન્યાય મહારાજશ્રી વ્યાખ્યાનમાં અત્યંત સ્પષ્ટ રીતે લોકોને સમજાવતા. દરેક વ્યાખ્યાનમાં મહારાજશ્રી સમ્યગ્દર્શન પર અત્યંત અત્યંત ભાર મૂકતા. તેઓશ્રી અનેક વાર કહેતા કે “ શરીરનાં ચામડાં ઉતરડીને ખાર છાંટનાર ઉપર પણ કાધ ન કર્યો એવાં વ્યવહાર ચારિત્રો આ જીવે અનંત વાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખ છની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે. સમક્તિ સહેલું નથી. લાખો કરોડમાં કેઇક વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પિતાને નિર્ણય પોતે જ કરી શકે છે. સમકિતી આખા બ્રહ્માંડના ભાવેને પી ગયો હોય છે. આજકાલ તો સૌ પોતપોતાના ઘરનું સમક્તિ માની બેઠા છે. સમક્તિીને તે મોક્ષના અનંત સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. સમકિતીનું તે સુખ, મેક્ષના સુખના અનંતમા ભાગે હોવા છતાં અનંત છે.” અનેક રીતે, અનેક દલીથી, અનેક પ્રમાણેથી, અનેક દષ્ટાંતથી સમક્તિનું મનન,
SR No.011511
Book TitleKanjiswami Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorFulchandra Jain Shastri, Himmatlal Jethalal Shah, Khimchand Jethalal Shah, Harilal Jain
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year1964
Total Pages195
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy