SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ જૈન તવ પ્રકાશ ૩. વ્યવહારનય–પંચ મહાવ્રત આદિ ચારિત્રના સર્વ વ્યાવહારિક ભેદની ક્રિયાને સંવર કહે. ૪. જુસૂત્રનય–વર્તમાન કાળમાં આસવનું નિjધન કરી નવા કર્મને રોકે એવા ભાવને સંવર કહે. ૫. શબ્દનય–સમ્યકત્વ, વ્રતપશ્ચખાણ, અપ્રમાદ, અકષાય અને કેગ સ્થિરતા એ પાંચને સંવર કહે છે. ૬. સમભિરૂઢનય–મિથ્યાત્વ વગેરે પાંચે આસવની કર્મ વગણથી અલિપ્ત રહે, એની અસરને મંદ કરે તથા લુક્ષ (લુખા) પરિણામ કરી કર્મ પ્રકૃતિથી લેપાય નહિ. રાગદ્વેષને અભાવ તેને સંવર કહે છે. ૭. એવભૂત નય-રૌલેશી (પર્વતને ઈશ જે તેના જેવી સ્થિર) અને અકંપ આત્માવસ્થાને સંવર કહેએ સ્થિતિ ૧૪મા ગુણસ્થાનક વાળાની ગણવી. શ્રી ભગવતી સૂત્રના નવમા ઉદેશામાં સ્ત્ર વિચાર સંવ, માયા સંવરસ મટે એ પાડમાં આત્માને સંવર કહેલ છે તે આધારે અહીં પણ આત્માને સંવર કહેલ છે. (૭) નિર્જરા તત્ત્વ ઉપર સાત નયઃ ૧. નિગમનય-અશુભ પરિણામની નિવૃત્તિથી થતી નિર્જરાને પણ નિર્જરા કહે. ૨. સંગ્રહનય-કર્મવગણાના પગલે આત્મપ્રદેશથી અલગ થાય તેને નિર્જરા કહે. ૩. વ્યવહારનય-બાર પ્રકારની તપશ્ચર્યાના વ્યાવહારિક આચરણને નિર્જરા કહે. કારણ કે તપ છે તે કર્મની નિર્જરને વ્યવહાર છે. ૪. જુસૂત્રનય-વર્તમાન કાળમાં શુભધ્યાનયુક્ત હોય તેને નિર્જરા કહે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy