SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાશ જયાં લગી પુણ્યની પ્રખળતા છે, ત્યાં લગી એ બધી અપવિત્રતા -અશુચિ ગુપ્ત રહી છે અને ઉપર ગારી, કાળી, રાતી ચામડી ઢંકાઈ રહી છે. પણ જ્યારે પાપના ઉડ્ડય થાય છે એટલે, પાપનાં ફળ પ્રગટે છે ત્યારે શરીરને બગડનાં જરાપણ વાર લાગતી નથી. આ અશુચિ ભાવના શ્રી સનતકુમાર ચક્રવતી એ ભાવી હતી. .૨૭૦ અયેાધ્યા નગરીમાં મહારૂપવંત શ્રી સનતકુમાર નામે ચક્રવર્તી રાજા હતા, તેના રૂપની પ્રશ'સા પહેલા દેવલેાકના ઇંદ્ર દેવસભામાં કરી, તે એક દેવતાએ માની નહિ. પરીક્ષા કરવા તે દેવ તરત વૃદ્ધ બ્રાહ્મણનુ રૂપ ધારણ કરી ચક્રવતીની પાસે આવ્યેા. શ્રી સનતકુમાર ચક્રવર્તીનુ રૂપ જોઈ દેવ ઘણું અચરજ પામ્યા. એ વખતે ચક્રવતી સ્નાન કરતા હતા, તેણે દેવને પૂછ્યું, અરે વિપ્ર ! કયાંથી ચાલ્યા આવા છે ? દેવે જવાબ દીધા કે છેક નાનપણમાં આપના રૂપની પ્રશંસા સાંભળી મે તરત જ ચાલવુ શરૂ કર્યું. ચાલતાં ચાલતાં મારી આટલી વૃદ્ધ ઉંમર થઈ ગઈ. આજ મને આપનાં દર્શન થયાં અને મારે મનારથ પૂર્ણ થયે. આ વાત સાંભળીને ચક્રવતીને અભિમાન થયું અને ગવ આણી બેલ્વે, હમણાં તું મારું રૂપ જુએ છે તેના કરતાં જ્યારે હું સોળ શણગાર સજી રજસભામાં તમામ પરિવાર સાથે બેસ' ત્યારે જો જોઈશ તા અતિશય આશ્ચય પામીશ. આવી ગર્વિષ્ઠ વાણી કહેતાં જ ચક્રવતીનું શરીર એકદમ બગડી ગયું અને તેમાં કીડા પડી ગયા. શરીરની એવી દશા જોઈ ચક્રવતી ને તરત વૈરાગ્યદશા આવી કે શરીરને મેં અતિ ઉત્તમ માલમલીદા ખવરાવ્યા, વિધવિધ શણગાર સજાવ્યા, અનેક જાતનાં સુખા આપ્યાં, તે જ શરીરે મને દગા દીધા; તે કુટુંબ પિરવાર, નાકર વગેરેનુ તા કહેવું જ શું? હું તેા એમ માનતા હતા કે મારું શરીર ઠેઠ લગી
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy