________________
૧૪
જેન ચિત્રકલ્પકુમ નામની પિતાની બે પુત્રીઓને સ્ત્રીઓની ચોસઠ કળાઓ સંસારી પ્રાણીઓના ઉપકાર ખાતર બતાવી. માનિ અવશે જૈનાશ્રિત કલાના મહત્વપૂર્ણ બહુ જ જૂના અવશેષો હાલ મળી આવતા નથી. મધ્ય ભારતમાં આવેલા રામગઢના પર્વતમાંની જોગીમારની ગુફાઓમાંનાં ભિત્તિચિત્રોના અવશેષે મૂળ જૈન હોય એમ જણાય છે. એરિસ્સામાં ભુવનેશ્વર નજીકની જૈન ગુફાઓમાંની એકમાં જૈન ચિત્રકળાના કંઇક અવશેષો હજી છે. મહાન પલ્લવરાજ મહેનવર્સી પહેલો કે જે ઇ.સ. ૬૦થી ૬૨૫ની આસપાસ થયો હતો અને જે પિતાને ‘ચિત્રકારપુલિ' એટલે ચિત્રકારોમાં વાઘ જેવો અથત ચિત્રકારોના રાજા જેવો ગણાવતે તેના વખતનાં એટલે ઇ.સ.ની સાતમી શતાબ્દીનાં સીત્તનવાસલનાં ભિત્તિચિત્રો પણ જૈન હોવાનું સાબિત થએલું છે."
પ્રાચીન જૈન સાહિત્ય મથેના ઉલ્લેખો ઉપરથી જણાય છે કે પ્રાચીન ભારતમાં ચિત્રકળા મૃત અવસ્થામાં નહોતી. સમાજમાં તેનો સંતોષકારક આદર અને પ્રચાર હતો. લોકે ચિત્રવિદ્યાને પ્રસન્નતાથી શીખતા. ચિત્રકળા ઘણા વિસ્તારમાં પ્રચલિત હતી. સ્ત્રીપુરુષો રાજકુમાર રાજકુમારીઓ વગેરેનો તે પ્રત્યે અનુરાગ હતો, એટલું જ નહિ પણ વ્યવહારૂ રૂપમાં યે આ કળાનું શિક્ષણ તેઓ પ્રાપ્ત કરતા. રાજાઓ અને શ્રીમતે મોટી ચિત્રશાળાઓ સ્થાપતા. પ્રાચીન જન સાહિત્યમાં ચિરકળાના મળી આવતા ઉલેખે (૧) શ્વેતામ્બર જેનેના માન્ય આગમ ગ્રંથોમાં અગીઆર અંગ પૈકીના ચોથા “સમવાયાંગ સૂત્રના
૩ સીઓની ચોસઠ કળાઓ
૧ નૃત્યકળા, ૨ ઓચિય (આદરસત્કાર આપવાની કળા), ૩ ચિત્રકળા, ૪ વારિત્રકળા, ૫ મંત્ર, ૧ તંત્ર, ૭ ધનવૃષ્ટિ ૮ કલાકૃષ્ટિ (ફળ તોડવાની કળા, ૯ સંસ્કૃત જલ્પ, ૧૦ ક્રિયાકલ્પ, ૧૧ જ્ઞાન, ૧૨ વિજ્ઞાન, ૧૩ દંભ, ૧૪ પાણી ભવાની કળા, ૧૫ ગીતમાન, ૧૬ તાલમાન, ૧૭ આકારગોપન (અદમ્ય કળા, ૧૮ બગીચા બનાવવાની કળા, ૧૯ કાવ્યશક્તિ, ૨૦ વહિત કળા, ૨૧ નરલક્ષણ, ૨૨ હાથીડાની પરીક્ષા, ૨૩ વારનુસિદ્ધિ, ૨૪ તીવબુદ્ધિ, ૨૫ શકુનવિચાર, ૨૬ ધમચાર, ૨૦ અંજનયોગ, ૨૮ ચૂર્ણયોગ, ૨૯ ગ્રહિધર્મ, ૩૦ સુમસાદનકર્મ (રાજી રાખવાની કળા), ૩૧ કનકહિ, ૩૨ વણિકાવહિ (સેદય હિ, ૩૩ વાસપાટવ (વાચાળપણુ), ૩૪ કરલાધવ (હાથચાલાકી, ૩૫ લલિતચરણ, ૩૬ નૈસુરભિાકરણ (સુગંધી તેલ બનાવવાની કળા), ૩૦ ભોપચાર, ૩૮ ગેહાચાર, ૩૯ વ્યાકરણ, ૪૦ પરનિરાકરણ, ૪૧ વીણાનાદ, ૪૨ વિતંડાવાદ (કારણ વગરનુ લડવું), ૪૩ અકસ્થિતિ, ૪૪ જનાચાર, ૪૫ કુંભામ, ૪૬ સરિશ્રમ, ૪૭ રત્નમણિભેદ, ૪૮ લિપિ પરિચછેદ, ૪૯ વૈક્રિયા, ૫૦ કામાવિષ્કરણ, ૫૧ ધન (રાંધવાની કળા) પર ચિકુરબંધ (કેશ બાંધવાની કળા), ૫૩ શાલીખંડન (ખાંડવાની કળા, ૫૪ સુખમંડન, ૫૫ કથાકથન, ૫૬ કસમગ્રથન, ૫૭ વરષ, ૫૮ સર્વભાવવિશેષ, ૫૯ વાણિજ્ય, ૧૦ માન્ય, ૬૧ અભિયાન પરિજ્ઞાન, ૬૨ આભષણ યથાસ્થાન વિવિધ પરિધાન, ૧૭ અંત્યક્ષેરિકા અને ૬૪ પ્રશહેલિકા. ૪ અછત છેષ(૧૮).
The Sittanvasal Paintings by A.H. Longhurst in 'Indian Art and Letters' 1932 p.39-40. ૬ અગિયાર અંગે
૧ આચારાંગસર, ૨ સૂચકતાંગસૂત્ર, ૩ સ્થાનાંગસૂત્ર, ૪ સમવાયાંગસૂત્ર, ૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (ભગવતીસૂત્ર) ૬ જ્ઞાતાધર્મકથાગસૂત્ર, ઉપાસકદશાંગસૂત્ર, ૮ અંતતદશાંગસૂત્ર, ૯ અનુરૂપ પાતિક સુવ, ૧૦ પ્રમવ્યાકરણ, ૧૧ વિપાકસત્ર.