________________
જેન ચિત્રકપ્પમ ઉપર અમે પ્રાચીન શિલાલેખો અને હસ્તલિખિત પુસ્તકોના આરંભમાં લખાતાં જુદી જુદી જાતનાં દિલને ત્રણ વિભાગમાં આપ્યાં છે. (૧) પ્રથમ વિભાગમાં આપેલાં ચિહ્નો ભારતીય પ્રાચીન લિપિમાલામાંથી લીધાં છે, જે ઈસ. ની પાંચમી સદીથી લઈ તેરમી સદી સુધીના લેખો, તામ્રપત્ર આદિમાં મળે છે. એમાં અવાંતર નવ વિભાગે પાડ્યા છે તેનું કારણ એ છે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સેકાના શિલાલેખ વગેરેમાં મળે છે. (૨) બીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની અગીઆરમી સદીથી આરંભી આજ પર્યંતની ધાતુની મૂર્તિઓ ઉપરથી લીધેલી છે. એમા અવાર ચાર વિભાગ પાડવા છે તે એટલા માટે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સૈકામાં બનેલી ધાતુની મૂર્તિઓ ઉપરના લેખોમાં મળે છે. આ વિભાગમાંના ચેથા અવાર વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની તેરમી સદીથી શરૂ કરી આજ સુધીની મૂર્તિઓના લેખમાં એકસરખી રીતે મળે છે. (૩) ત્રીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની બારમી સદીથી આરંભી આજ સમય સુધીનાં હસ્તલિખિત પુસ્તકને આધારે તારવેલી છે. આ વિભાગમાંના અવાર ચાર વિભાગે શતાબ્દીને કમ બતાવે છે. ચોથા અવાંતર વિભાગમાંની આકૃતિઓ પંદરમી સદીથી લઈ આજ સુધીમાં લગભગ એકસરખી રીતે ચાલુ છે.
ઉપરોક્ત ત્રણ વિભાગમાં એકંદર ગુપ્ત, કુટિલ, નાગરી, શારદા, બગલા, પશ્ચિમી વગેરે ભારતીય પ્રાચીન લિપિઓના શિલાલેખો, મૂર્તિ અને હસ્તલિખિત પ્રતિઓના આરભમાં લખાતી આકૃતિઓનો સમાવેશ થઈ જાય છે. એ આકૃતિઓ તરફ ઊડતી નજર ફેંકતાં તેમાં આપણને આપણા ચાલુ દેવનાગરી ૧ ૫ ૬ ૭ અને ૬ અંકેને મળતી આકૃતિઓ વધારે દેખાય છે. કાળનું અતિક્રમણ, જનસ્વભાવ અને લિપિઓ તેમજ લેખકોના હાથને વળાટ આદિ કારણોને લઈ ઉપરોક્ત આકૃતિઓમાં વિધવિધ પ્રકારનું પરિવર્તન થવા છતાં પ્રાચીન લિપિમાલાને આધારે જોતા એ બધી યે આકૃતિઓ કકારનાં જ વિવિધ ક્ષે છે એમ લાગ્યા સિવાય નથી રહેતું. પ્રાચીન શિલાલેખાના ઉકેલનાર વિદ્વાને પણ આ આકૃતિઓને કાર તરીકે જ માને છે–વાચે છે અને અમે પણ ઉપરોક્ત ભલે મીડા'ની આકૃતિને ઉકારના સાંકેતિક બની ગએલા ચિહ્ન તરીકે જ સ્વીકારીએ છીએ.
કેટલાંક લિખિત પુસ્તકોના આરંભમાં લખાએલ છો આ જાતની આકૃતિને જોઈ કિઈ કઈ એમ કલ્પના કરવા લલચાય છે કે જૈન સંસ્કૃતિએ વીર સં૦ ૯૮ભા શાસ્ત્રલેખનની
ગઈ છે એ આ નીચ આપવામા આવતા શુદ્ધ સૂત્રપાઠથી આપણે ખ્યાલમાં આવશે
सिद्धो वर्णः समानायः । तत्र चतुर्दशादौ स्वरा। दश समानाः। तेषां द्वौ द्वावन्योऽन्यस्य सवर्णों । पूर्वो ह्रस्वः। परो दीर्घः। स्वरोऽवर्णवजों नामी। एकारादीनि सभ्यक्षराणि । कादीनि व्यजनानि । ते वर्गाः पञ्च पश्च पञ्च । वर्गाणा प्रथमद्वितीयाः शषसाश्चाघोषा । घोषवन्तोऽन्ये। अनुनासिका अणनमा । अन्तस्था વરયા: સમાજ: હાસ:
આ ચાર પાટીઓ પછી બાળકને કળા ને દેવે ભાગે જ નહિ. ઈત્યાદિ “ચાણક્યનીતિના પચીસ પચાસ કિલકાની પાટી ગોખાવવામાં આવે છે. આજે એ પાટી પણ આપણા અનધડ વ્યાસકે કે કથાકારે જે રીતે ચ્ચિાર કરે છે તેના જેવી અશુદ્ધ અને ખાડી ભાંડી થઈ ગઈ છે