SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શમણ સંસ્કૃતિ અને લેખનકળા આજે અમે લેખનકળાના વિષયમાં કાંઈક લખવાને નિરધાર કર્યો છે તેને મુખ્ય ઉદ્દેશ એ છે કે આજે સકાઓ થયાં ચાલુ પતનને અંતે ભારતવર્ષે પિતાના પુનરુત્થાનનો આરંભ કર્યો છે. એ આરંભ કોઈ અમુક એક અંગ કે દિશાને લક્ષીને છે એમ નથી, પરંતુ એનું એ પુનત્યાન રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક તેમજ વિજ્ઞાન, સાહિત્ય, કળા આદિ પ્રત્યેક વિભાગને લક્ષમાં રાખીને થઈ રહ્યું છે. સેંકડો વર્ષથી ભારતવર્ષમાં પ્રવર્તી રહેલ ભીષણ રાજકીય વિપ્લવ આદિને પરિણામે નાશ પામેલ પ્રત્યેક વિજ્ઞાન, સાહિત્ય, કળા વગેરેને જીવંત કરવા માટે જેમ અનેકાનેક પ્રયત્ન ચાલી રહ્યા છે એ જ રીતે વર્તમાન મુણુયુગને લીધે અદશ્ય થતી આપણી પરાપૂર્વથી ચાલી આવતી વિશિષ્ટ લેખનકળા, તેના સાધનો અને કલાધર લેખકે એ સૌને પુનરુદ્ધાર કરવાને પણ એક જમાને આવવાને છે એમાં જરા પણ શંકા નથી. તે સમયે આવી નિબંધ સંગ્રહ કરાએલી સાધન વગેરેને લગતી ને કાર્યસાધક બને એ મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે “લેખનકળા'ના સંબંધમા કાઈક લખવા પ્રેરાયા છીએ. નામ અને વિષય ભારતવર્ષની ત્રણ મુખ્ય સંસ્કૃતિઓઃ જૈન શ્રમણસંસ્કૃતિ, બૌદ્ધ શમણુસંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ. આ ત્રણે મહાન સંસ્કૃતિઓએ આર્ય પ્રજાના આંતર અને બાહ્ય જીવનના વિકાસ માટે જેમ સતત અનેકવિધ પ્રયત્નો સેવ્યા છે એ જ પ્રમાણે પ્રસ્તુત લેખનકળાના વિકાસ માટે ભારતની ત્રણે સંસ્કૃતિઓએ સંયુક્ત પ્રયત્ન કરેલા હોવા છતાં જૈન શ્રમણસંસ્કૃતિએ એ કળા તેમજ તેનાં સાધન આદિના વિકા અને સંગ્રહમાં કેવી અનોખી ભાત પાડી છે એ વિષયને દર્શાવતો પ્રસ્તુત નિબંધ હાઈ એનું નામ અમે “ભારતીય જૈન મણસંસ્કૃતિ અને લેખનકળા' એવું આપ્યું છે. ભારતીય લેખનકળા ભારતીય લિપિઓની ઉત્પત્તિ પ્રસ્તુત નિબંધમાં “જન લેખનકળા’ના સંબંધમાં કાંઈક લખવા પહેલાં ભારતીય લિપિ અને લેખનકળાની ઉત્પત્તિના વિષયમાં થે લખવું યેગ્ય છે. ભારતીય પ્રજાની લિપિ–વર્ણમાલા કયારે અને કેવી રીતે ઉત્પન્ન થઈ એ સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાનોના અનેક મતિ હેવા છતાં રાયબહાદુર થીયુક્ત ગૌરીશંકર હીરાચંદ એઝાઇએ પિતાના “ભારતીય પ્રાચીન લિપિમાલા' નામના પુસ્તકમાં એમ નક્કી કર્યું છે કે ભારતીય આર્ય સભ્યતા અતિ પ્રાચીન હોઈ એની લિપિ અત્યંત પ્રાચીન તેમજ સ્વતંત્ર છે. એની ઉત્પત્તિ ક્યારે અને શામાંથી થઈ એ કહેવું શકય નથી, તેમ છતાં ચાલું ઐતિહાસિક પદ્ધતિ મુખ્યત્વે કરીને દષ્ટ પ્રમાણે ઉપર આધાર રાખતી હોઈ ઉપલબ્ધ થતાં પ્રમાણેને ૨ આ વિભાગ લગભગ અક્ષર ભારતીય જ્ઞાન વિનામાંથી ફકરાઓ લઇને જ લખવામાં આવે છે. જેઓ ભારતીય પ્રાચીન–અર્વાચીન લિપિઓ, તેની ઉત્પત્તિ, આદિ વિવન અને વિષ્ટિ પશ્ચિય તેમ જ અરયાસ કરવા ઈચ્છતા હાથ તેમણે ભાપ્રા. લિ. પુસ્તક જ જોવું જોઇએ,
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy