________________
૧૨૪
જેને ચિત્રકલ્પમ દરેક આકૃતિના ચહેરા ઉપર પ્રસંગાનુસાર વિષાદ અને વિસ્મયતાની ભાવના વ્યક્ત કરવામાં ચિત્રકારે પુરેપુરી સફળતા મેળવી છે. ર૪ર૩ ઇચ જેવડા નાના કદના ચિત્રમાં પ્રસંગ નિરૂપણની ગુજરાતના પ્રાચીન ચિત્રકારની સિદ્ધહસ્તતા આજના ચિત્રકારને કસોટી આપે તેમ છે. ચિત્રના ઉપરના ભાગમાં સિંચાણે પણ ચીતરેલો છે. રિત્ર ૫૮ શ્રી મહાવીર સ્વામી. પ્રતના પાના ૨૬૬ ઉપરથી.
વચમાં પીળા રંગના શરીરવાળી મહાવીરની મૂર્તિ ચીતરવામાં આવી છે. બાકી બધીએ રજુઆત ચિત્ર પદના આબેહુબ અનુકરણ રૂપે છે. ચિત્ર પર અષ્ટમાંગલિક પ્રતના પાના ૨ ઉપરથી.
અષ્ટમાંગલિકની માન્યતા જેનામાં બહુ પ્રાચીન સમયથી પ્રચલિત છે. જે વાતને મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલા પાષાણના પ્રાચીન આયાગપટ પુષ્ટિ આપે છે. પ્રાચીન સમયમાં પ્રભુની સન્મુખ જૈન ગૃહસ્થ અષ્ટમાગલિકને અક્ષતથી આલેખના હતા, હાલમાં તે રિવાજ લગભગ નાશ પામ્યા છે, તે પણ પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે મોટા મહોત્સવ સમયે લાકડામાં કોતરેલા અષ્ટમાંગલિકને આજે પણ ઉપગ કરવામાં આવે છે અને દરેકે દરેક જિનમંદિરોમાં ધાતુની અષ્ટમાંગલિકની પાટલીઓ હજારોની સંખ્યામાં વિદ્યમાન છે, જેની પૂજા ચંદન-કેસર વગેરેથી કરવામાં આવે છે, તેની માન્યતા આ રીતે આજે પણ પ્રચલિત હોવા છતાં પણ અષ્ટમાંગલિકના પૂરેપૂરા નામ જાણનાર વર્ગ પણ સેંકડે એક ટકે ભાગ્યે જ હશે તે પછી તે આલેખવાના હેતુઓ-ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તેને ઉપયોગ કરનારની તે વાત જ શી? કોઈ વિરલ વ્યક્તિએ હશે પણ ખરી, છના પણ આ અષ્ટમાંગલિકને આલેખવાના ઉદ્દેશને લગતી કલ્પના શ્રીઆચાર દિનકર' નામના ગ્રંથમાં શ્રીવર્ધમાનસૂરિએ કરેલી છે તે અતિ મહત્વની હેઈ તેના ભાવાર્થ સાથે ટુંકમાં અત્રે આપવી યોગ્ય ધારી છે.”
आत्मालोकविधौ जनोपि सकलस्तीनं तपो दुधरे
दानं ब्रह्मपरोपकारकरणं कुर्वन्परिस्फूर्जति । सौऽयं यत्र सुखेन राजति स वै तिर्थाधिपस्याप्रतो
निर्मेयः परमार्थवृत्तिविदुरैः सजहानिभिर्दपणं ॥१॥ ભાવાર્થ આત્માનું જ્ઞાન મેળવવાને-ઓળખવાને માટે દરેક મનુષ્ય તીવ્ર અને દુર એવું તપ, દાન, બ્રહ્મચર્ય, પરોપકાર એ બધાને કરતે લે છેતે મનુષ્ય જ્યાં સુખપૂર્વક બે–પિતાનું દર્શન કરી શકે–એવું દર્પણ પરમાર્થને સમજનાર સજ્ઞાનીઓએ તીર્થકર દેવના આગળ આલેખવું.
36 al 'The Jain Stupa and other Antiquities of Mathura' Plate no. V]I & IX by V.A. Smith. . બાવલન' પર ૧૧–૧૧૮,