________________
જન ચિત્રકટુમ કલ્પના રજુ કરે છે કે “વસંતવિલાસમાં કહીએ કડીએ જે જીવનનો ઉલ્લાસ ઉભરાઈ આવે છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલા વિરાગી નહિ પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારો રાગી પુરુષ હશે. તેઓશ્રીની આ કલ્પનાને સ્વીકાર કરતાં પહેલાં આપણે ઉપલબ્ધ જૈન સાહિત્યકૃતિઓમાં જેને ત્યાગીઓએ આવી જાતનાં શૃંગારિક કાવ્યની રચના કરેલી મળી આવે છે કે નહિ તે પહેલાં તપાસી લઈએ..
૧ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનાં પ્રાચીન જૈન કથાનકોના ગ્રંથોમાં શૃંગારરસનું અદભુત વર્ણન કરેલું મળી આવે છે.
૨ સોળમા સૈકામાં થએલા વાચક કુશલાલે “ઢોલા મારવણની કથા સંવત ૧૬૧૭ના વૈશાખ સુદ ૩ ને ગુસ્વારના રોજ અને “માધવાનલ કામકંડલા એપાઈ-રાસની રચના રાવલ હરરાજજીના કુતુહલ ખાતર કરી છે. આ બંને કૃતિઓમાં શંગારસની જમાવટ કોઈ અદ્વિતીય પ્રકારની છે.
૩ સંવત ૧૬૧૪માં શ્રી જયવંતરિએ શીલવતીના ચરિત્રરૂપે (અભિનવ) શંગારમંજરી એ નામની છટાદાર રંગારિક કૃતિ રચી છે.
૪ સંવત ૧૬૩માં કવિ બિલ્પણની પચાશિનામની પ્રેમકથા વર્ણવવા સારંગે ચોપાઈની રચના કરી છે.
૫ ઉપરોક્ત બધી યે કૃતિઓને ટપી જાય એવી કોકશાસ્ત્ર (કોક ઉપચઇ)ની રચના નબુંદાચાર્ય નામના જૈન યતિએ (સાધુપણામાથી પતિત થયા પછી યતિપણામાં) કરી છે.
પ્રસ્તુત છે ઉપરાત આગળ કહેવામાં આવશે તે અનુસાર જેમાં તેની ખ્યાતિ પણ વધારે હેવાથી તેને કત જૈન જ હેય નેમા કશુ જ અસંભવિત નથી; એટલે દી. બ. ધ્રુવ સાહેબ તથા શ્રીયુત મહેતાની કલ્પના અસ્થાને હોય એવું સ્પષ્ટ ભાસે છે.
જેમ કુશલલાભ વાચકે રાવલ હરરાજજીના કુતૂહલ ખાતર માધવાનલ કામકંડલા ચોપાઈ-રાસ તથા ઢોલા મારવણીની કથા રચી, તેમજ સંભવે છે કે “વસંતવિલાસ' કાવ્યના લેખક આચાર્ય રત્નાગરે પણ આ કૃતિની રચના ચંદ્રપાલની વિનતિથી તેને પઠના પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત કાવ્યોને આધાર લઈને પ્રાચીન ગુજરાતી ભાષામાં કરી હોય; કારણકે “આદિનાથ જન્માભિષેક' નામની એક નાની કૃતિ કે જે તે જ સમયના વિદ્યમાન કવિ દેપાલ ભોજક” વિરચિન સ્નાત્રપૂજા સાથે મિશ્રિત થઇ ગએલી છે, તેના ઉપરથી આચાર્ય રત્નાગરમાં કવિતાશક્તિ હતી તેમ પુરવાર થાય છે.
માન્યવર દી. બ. ધ્રુવ સાહેબની બીજી કલ્પના એ છે કે “તેણે (તના રચનારે) તેને પ્રાચીન જૈન કવિઓની માફક “ગું' સંજ્ઞા આપી નથી.”
ગુ’ સંજ્ઞા આપવાની આવશ્યક્તા જેવું અહીં તેને જણાયુ નહિ હોય, કારણકે આ કાવ્યમાં વસંત ઋતુની અંદર નાયક-નાયિકાના વિલાસનું વર્ણન મુખ્ય ભાગ ભજવે છે અને કવિ બાલચંદ્ર વિરચિત “વસંતવિલાસYર નામની કૃતિ તેની સન્મુખ હેવાથી “
ફને બદલે “વસંતવિલાસ ૪૧ જુઓ “આનંદ કાવ્ય મહોદધિ' મતિક ૭ ૪ર ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ નં ૭.