________________
मूलम-अप्पमत्तो कामेहि उपाओ पायफम्मेहि, वीरे आय गुत्ते खेयन्ने, जे पजायमत्यस्त
खेयण्णे से असत्यस्म खेयन्ने, जे असत्यस्म खेयन्ने से पनपज्जायमत्थन ग्वेयन्ने, टाकम्मस्त ववहारी न विज्जइ, कम्मुणा उवाही जाया ॥ सू १४१ ॥
અર્થ –શબ્દાદિના કમનીય વિષયોમાં જે અપ્રમાદી છે, પાપકર્મો કરવાથી જે વિરમી થાય છે તે આત્મા '
દ્વારા રક્ષિત છે, અને પુરુષાર્થના પરિશ્રમને જાણનાર છે. જે વિષય પ્રકારોથી ઉત્પન્ન થયેલી હિંસાને ખેદ જાણે છે તે અશઅને એટલે કે સંયમનો પરિશ્રમ જાણે છે. જે સંયમને પરિશ્રમ જાણે છે તે વિષય પ્રકારોથી થયેલ હિંસાને ખેદ જાણે છે. કર્મ રહિત થયેલા પુરુષને ચાર ગતિમાં સુખદુખ અનુભવવા રૂપ વહેવાર હોતે નથી. આ બહાભાવના વેશારે કર્મથી જન્મે છે
मूलम्-धम्मं च पडिलेहाए कम्ममूलं च ज छणं पडिले हिय सव्वं समायाय दोदि अंतेहिं
बादिस्तमाणे । तं परिन्नाय मेहावि? विइत्ता लोग, यंता लोगसन्नं से मेहाधी पडिकभिजामि ति वेमि । सू १४२ ।।
અર્થ -કર્મનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરીને અને હિસા જે કર્મમૂલક છે, તેનું સૂમ નિરીક્ષણ કરીને
સંયમને સંપૂર્ણ રીતે સ્વીકારીને તે મુનિ રાગદ્વેષરૂપી બે અ ત વડે સ્પર્શવામાં આવતો નથી. હે બુદ્ધિમાન પુરુષ, તે જાણીને, લેકનું સ્વરૂપ જાણીને, લોકસંજ્ઞાને વમીને તેમાંથી પ્રજ્ઞાવ ત પુરુષે તારે પાછા ફરવુ જોઈએ, એમ હું કહુ છું.
ત્રીજા અધ્યયનને પહેલે ઉદ્દેશક પૂરે થયો
શીતેણીય નામના ત્રીજા અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક
આગળના પહેલા અધ્યયનમાં ભાવનિદ્રા અને ભાવ જાગરણ બતાવવામાં આવ્યા. આ બીજા ઉદ્દેશકમાં ભાવ જાગરણ માટેના ઉપાય તરીકે યોગમાર્ગને બતાવ્યું છે ફરી ફરીને તે સમ્યગ વિચારણ સમાધિના ઉપાય તરીકે આપણી સમક્ષ હાજર થાય છે. જેમ કેઈ ચતુર વૈદ્ય રોગનું નિદાન કરીને ઔષધને પ્રયોગ કરે તેમ વ્રત-નિયમાદિના પાલનરૂપ પથ્યને નિર્દેશ કરીને અહીં વૈભાવિક દશા ટાળીને સ્વ સ્વરૂપનું સ્વાથ્ય કેમ પ્રગટાવવુ તેનું આ ઉદ્દેશકમાં નિરૂપણ છે
मूलम्-जाई च वुढिं च इहज । पासे, भूएहि जाणे पडिलेह सायं । तम्हाऽतिषिजे परमं ति
णच्चा सम्मत्तदंसी न करेइ पावं ॥ १४३॥
અર્થ:-હે આર્ય, તું જન્મ અને ગર્ભ વૃદ્ધિરૂપ દુઃખને નિહાળ. પ્રાણીઓમાં શાતા તેમને ઈષ્ટ છે,
એ જાણીને તા. વહેવાર સમજી લે. તેથી મહાજ્ઞાની પુરુષ પરમપદવી નિવણને જાણીને સમ્યકત્વવાળો હેય છે. તે પાપ કરતું નથી.