SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદીના પ્રખર તિધર [લેખક –શ્રીયુત મોહનલાલ દિપચંદ.ચેકસી]. ૧. સંસારી જીવનની ઝાંખી – . ગુજરાત પ્રાંતના કલોલ તાલુકા નજીકના “કડું' નામના ગામમાં આપણા આ મહાન તિર્ધર જન્મ્યા ત્યારે કેવા ગ્રહો હતા અને કયું ઘડિયું કે કયું નક્ષત્ર હતું એ જાણવાનું સાધન હજી ઉપલબ્ધ થયું નથી, છતાં ભાવિ કારકિદીના માપે માપતાં એટલું તે વિના શંકાએ કહી શકાય કે આ કુળદીપકના જન્મકાળે શુભ મુહૂર્ત અને શુભ ચૅગ વર્તતા હતા. પિતાશ્રી “નારાયણ” અને માતુશ્રી “ભાગદે' એ પુત્રનું “જસવંત' નામ રાખી આનંદિત બન્યા હતા. થોડા જ વર્ષોમાં બંધબેલડીરૂપે જસવંતને પદ્ધસિંહ' મળે. વ્યવહારી જીવન જીવતાં આ નાનકડા કુટુંબમાં ઉછરનાર બાલુડાંઓને દેવદર્શન અને ગુરુવંદનના સંસ્કાર ગળથુથીમાંથી મળ્યા હતા. એમાં પણ માતા-પિતાના સંસ્કાર ઉપરાંત પૂર્વભવના પુણ્યથી જસવંતની સ્મરણશક્તિ બાલ્યકાળથી જ વધતી ચાલી હતી. “સુજસેવેલી ભાસમાં જેની નોંધ નથી છતાં જે લોકવાયકા પૂજ્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી અને સાક્ષરવર્ય શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈ પિતાના નિબંધમાં આલેખે છે- “વરસાદના કારણે માતા ઉપાશ્રયે ન જઈ શક્યાં અને “ભક્તામર સ્તોત્ર” ન સાંભળી શક્યાં, પણ બાળક એવા જસવંતે એ સંભળાવ્યું. એમાં તથ્ય છે કિંવા ન પણ છે, છતાં વર્ષોના વહેવા સાથે યશવિજય મુનિ બન્યા પછી જે સાધન જસવંતના આત્માએ કરી છે અને એમાં પ્રજ્ઞાના જે ચમકારો દષ્ટિગોચર થાય છે, એ જોતાં કહેવું જ પડે કે, “પુત્રનાં લક્ષણ પારણમાંથી જણાય' એ ગુજરાતી કહેવત અક્ષરશ: સત્ય લાગે છે. જસવંત જેવા સંસ્કારી બાળક માટે ભક્તામરનું રટણ અસંભવિત ન ગણાય. વિહાર કરતાં શ્રી વિજયજી મહારાજ કુણગેર (પાટણ સમીપના) ગામથી “કડું' પધાર્યા. તેઓની વૈરાગ્યભીની વાણી શ્રવણ કરવાને રોગ ઉપરોક્ત બંધવજેડીને સાંપડ્યો. ઉભયના હૃદયમાં સંસાર છોડી દઈ સંયમના માગે સંચરવાનાં ઝરણ ફૂટવા માંડ્યાં. એની જડ દઢપણે ઊંડી ઊતરવા માંડી. સંતાકુકડીને આશ્રય લીધા વિના ખુલ્લા અંતરે મનની વાત વડીલ સમક્ષ વડીલ ભ્રાતા જસવંતે મૂકી. પદ્રસિંહે એમાં સાથ પૂ. ગુરુઉપદેશથી ધર્મ રહસ્યની પ્રાપ્તિ જેમને થયેલી છે એવા માતપિતાએ કહ્યું કે, “તમારું કલ્યાણ થાઓ, ગુરુ મહારાજ સાથે વિહારમાં છેડે સમય ફરે, તલવારની ધાર સમા ચારિત્રપાલનને અભ્યાસ પાડો અને અંતરને અવાજ પારખે. સાચા સાધુ બને.''
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy