________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલી આવૃત્તિનું પ્રાકથન
જીવન અનન્ત છે. તેની આદિ નથી, અત નથી. આજનું સે વર્ષનું આયુષ્ય પૂરું થયા પછી-મર્યા પછી પણ જીવનની ધારા નિરન્તર ચાલુ રહે જ છે. માટે એ ધ્યાનમાં રાખવું અત્યન્ત જરૂરનું છે કે માણસે આ જિન્દગીનું સુખ એવી રીતે નહિ મેળવવું જોઈએ કે મરણોત્તર જિન્દગી દુઃખના ગર્તમાં પટકાઈ પડે, આ જિન્દગીના સુખ પાછળ મરણોત્તર જીવન દુખપ્રસ્ત થવા પામે એવા પ્રમત્ત યા ઉન્મત્ત થવું એ મૂર્ખતાની પરાકાષ્ઠા છે. સાચું ડહાપણ એવી રીતે જીવવામાં છે કે અહીં પણ સુખશાન્તિ રહે અને મરણેત્તર જીવનમાં પણ સુખશાન્તિની પરંપરા નિરન્તર રહે. આ વર્તમાન જીવનમાં વિકાસનાં વાવેતર એવાં થવાં જોઈએ કે મરણોત્તર જીવનપ્રવાહ અધિકાધિક વિકસિત થતું જાય
આ માટે આપણે આપણું વર્તમાન જીવનને ગુણ સમ્પન્ન બનાવવું જોઈએ, મહાન કવિનું સ્પષ્ટ વાક્ય
મુના: કૂવામાન ગુણિપુ ર ર ર વયઃ ”
અર્થાત ગુણ જનમાં રહેલા ગુણે પૂજનીય છે, તેને વેષ નહિ, તેની ઉમ્મર નહિ. આ ઉપરથી સ્પષ્ટ
For Private and Personal Use Only