SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ નદીસૂત્ર ૯૭ (૧૧) કુંભાર- કુભાર પ્રતિદિનના અભ્યાસથી જે વસ્તુ બનાવવી હોય તેટલી જ માટી લે છે. (૧૨) ચિત્રકાર– ચિત્રકાર ચિત્રની ભૂમિ માપ્યા વિના જ તત્પરિણામ સ્થળનું અનુમાન કરી તે પ્રમાણે રંગ લગાવે છે જેનાથી અભીષ્ટ ચિત્ર બની જાય છે. ઉપર લખેલ ૧૨ ઉદાહરણ કર્મથી ઉત્પન્ન બુદ્ધિના છે પરિશિષ્ટ “ડ” પારિણુમિકી બુદ્ધિ ના ઉદારણો. (૧) ઉજજૈણી નગરીમાં રાજા ચડપ્રદ્યતન રાજ્ય કરો હતો. એક વાર તેણે દૂત સાથે રાજગૃહ નગર ના રાજા શ્રેણિકને કહેવડાવ્યું કે– જે તે પોતાના રાજ્યનું કલ્યાણ ઈચ્છતા હોય તો સુપ્રસિદ્ધ બકચુડ હાર, સીચાનકગા હસ્તી, અભયકુમાર અને ચેલણ રાણીને મારી પાસે મોકલી આપે તે શ્રેણિકની રાજસભામાં જઈ ચડપ્રોતન રાજાને સ દેશ સંભળાવ્યો. તે સાભળતાજ શ્રેણિકે અત્યંત ગુસ્સે થઈ દૂતને કહ્યું– દૂત અવધ્ય હોય છે તેથી તને ક્ષમા આપુ છું. પરંતુ તારા રાજાને કહેજે કે જે તે પોતાનું કુશળ ઇચ્છતો હોયતો અગ્નિર, અનિલગિરિ હાથી, વજાજ ધ દૂત તથા શિવાદેવી રાણું ને જલ્દીથી મારી પાસે મેકલે દતે જઈ ચડપ્રદ્યતન રાજાને સ દેશે સંભળાવ્યે ચડપ્રદ્યતન રાજાએ ગુસ્સે થઈ રાજગૃહ પર ચઢાઈ કરી રાજગૃહ નગરને ચારે બાજુથી ઘેરી લીધુ શ્રેણિકને ખબર પડી કે તરતજ પિતાની સેનાને યુદ્ધમાટે તૈયાર થઈ જવા જણાવ્યું ત્યારે અભયકુમારે શ્રેણિકરાજાને નિવેદન કર્યું કે– મહારાજ ! તમારે યુદ્ધની તૈયારી કરવાની જરૂર નથી, હું એવો ઉપાય કરીશ કે જેથી માસા ચડપ્રદ્યતન સવારમાજ પાછા ફરશે રાત્રે અભયકુમાર ઘણુ ધન લઈ રાજભવનમાંથી નીકળ્યા નગરની બહાર જ્યા ચડપ્રદ્યતન રાજા ના સેનાપતિઓનો પડાવ હતું તેની પાછળ ઘણું ધન દટાવી દીધુ પછી અભયકુમારે રાજા ચડપ્રદ્યોતન પાસે જઈ કહ્યુ- માસા ! તમે અને મારા પિતા, અને મારા માટે સમાદરણીય છે તેથી તમારા હિતની એક વાત કહેવા આવ્યો છુ હુ ઈચ્છતો નથી કે કોઈની સાથે દગો થાય રાજા ચડપ્રદ્યતન બોલ્યોવત્સ ! શું મારી સાથે દગો થવાનો છે, અભયકુમારે જવાબ આપે – પિતાજીએ તમારા સેનાપતિઓને લાચ આપી પોતાના પક્ષમા કરી લીધા છે તેથી સવારે તમને કેદ કરી પિતાજીને સોપી દેશે જે તમને વિશ્વાસ ન આવતો હોય તો તમને આપેલુ લાગતુ ધન બતાવુ આમ કહી ચડપ્રદ્યતન રાજાને દાટેલું - ધન બતાવી દીધુ આ જોઈને રાજાને અભયકુમારની વાત પર વિશ્વાસ બેસી ગયે અને રાતોરાત ઘોડા પર સવાર થઈ ઉજેણી મા પાછા ફર્યો સવારે સેનાપતિઓને ખબર પડીકે રાજા રાતે ભાગી ગયા છે તે તેને ખૂબજ આશ્ચર્ય થયું નાયક વગર સેના લડી ન શકે, આમ વિચારી સેના ઉજજૈણી મા પાછી ફરી ત્યાં જઈને સેનાપતિઓ રાજાને મળવા ગયા તો વિશ્વાસઘાતી કહી રાજાએ મળવાની ના પાડી દીધી પ્રાર્થના અને ઘણું અનુનય પછી રાજાએ તેઓને મળવાની આજ્ઞા આપી સેનાપતિ અને અવિપતિઓએ રાજાને પાછા ફરવાનું કાણું પૂછયું રાજા એ તેઓને બધી વાત કહી રાજાની વાત સાંભળીને તેઓ બેલ્યા- રાજન ! અભયકુમાર ઘણો ચતુર અને બુદ્ધિમાન છે તેને તમને દગો આપી પોતાને બચાવ કર્યો છે “આ સાભળી રાજા ચડપ્રદ્યોતે ગુસ્સે થઈ અભયકુમારને પકડી લાવવાની આજ્ઞા આપી
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy