SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यापक कॉवेल लिखित प्राकृत व्याकरण-संक्षिप्त परिचय ઈ.સ. પૂર્વેના સૈકાઓમાં, ભારતવર્ષમાં સંસ્કૃત ભાષામાંથી અપભ્રષ્ટ થઈને કેટલીક ભાષાઓ (બેલીઓ) ઉત્પન્ન થઈ જેને સાધારણ રીતે પ્રાકૃત કહેવામાં આવે છે. આ ભાષાઓની શોધ ખેળને વિષય ભાષાશાસ્ત્રીને તેમજ ઈતિહાસ લખકને ઘણો રસ આપી શકે તેમ છે. હાલની પ્રચલિત ભાષાઓ અને મહા સંસ્કૃત વચ્ચે સંબંધ છેડી શૃંખલાનું કામ બનાવનાર આ પ્રાકૃત ભાષાઓનું (અને ખાસકરીને પ્રાકૃત' નામક ભાષાનું જ્ઞાન હાલમાં વપરાતાં કેટલાંક રૂપે સમજવાને ઉપચગી છે એટલું જ નહિ, પરંતુ તેઓ ભાષાસંઘની એક ઈયુરેપીઅન શાખાના ઈતિહાસમાં પ્રકાશ પાડે છે, તથા લૅટીનમાંથી ઉત્પન્ન થએલી આધુનિક ઈટાલીઅન અને ફ્રેંચ ભાષાઓ સરખાવતાં જે સ્વરમાધુર્યનું આપણને ભાન થાય છે તે માધુર્યના નિયમોના અનુપમ દ્રષ્ટાંતે પૂરાં પાડે છે. તદુપરાંત બીજા ઘણા રસાત્પાદક ઐતિહાસિક પ્રશ્નને સાથે પ્રાકૃત ભાષાને નિકટને સંબંધ છે. સાલનના દ્ધાનાં તથા ભારતવર્ષના જૈનેના ધમપુસ્તકેની ભાષાએ પ્રાકૃતનાં ભિન્ન ભિન્ન રૂપે છે; અને ખરેખર બ્રાહ્મણની સંસ્કૃતને વિરોધ દર્શાવીને જનસમાજના હૃદય ઉપર સચોટ અસર કરવા માટે બૈદ્ધ ગ્રંથમાં પાલિ ભાષાને ઉપગ કરવામાં આવ્યું છે. જ્યારે એલેકઝાન્ડરના આધિપત્ય તળે ગ્રીક લેકે ભારતવર્ષના સંબંધમાં આવ્યા ત્યારે પ્રાકૃત ભાષા જનસમાજમાં પ્રચલિત હશે. જેમાં ઈ. સ. પૂર્વે લગભગ ૨૫૦ વર્ષના એન્ટીકસ અને બીજા ગ્રીક રાજાઓનાં નામે આવે છે એવા અશોક રાજાના શિલાલેખાની ભાષા પણ એક જાતની પ્રાકૃતજ છે, તે જ પ્રમાણે બેકયાના ગ્રીક રાજાના દ્વિભાષિક સિક્કાઓ ઉપર પણ પ્રાકૃત ભાષા લખેલી જોવામાં આવે છે. જુના હિંદુ નાટકામાં પણ આ ભાષાઓને હિસ્સ ઓછો નથી, કારણ કે તેમાં મુખ્ય નાયકે સંસ્કૃતને ઉપયોગ કરે છે, પણ સ્ત્રીઓ અને સેવકે જુદી જુદી જાતની પ્રાકૃત ભાષા વાપરે છે, જેમાંના પરસ્પર ફેરફારે બોલનારની કક્ષા પ્રમાણે, સ્વરમાધુર્યના નિયમનું અનુસરણ કરે છે. હૈયાકરણે “પ્રાકૃત' શબ્દને પ્રૉમ બાત એમ જણાવી પ્રતિ એટલે સંસ્કૃત સાથે સંબંધ જોડે છે. આ વિષયમાં હેમચનીચે પ્રમાણે જણાવ્યું છે. પ્રાતિ પર તત્ર સર્વ તત્ત સાત વા પ્રતા પણ મૂળ તેના અર્થ “સાધારણ અગર અસંસ્કારી” એ હશે, કારણ કે મહાભારતમાં એક સ્થળે બ્રાહણેને ધિક્કાર કર નહિ એમ જણાવી લખ્યું છે કે – दुर्वेदा वा सुवेदा वा प्राकृताः संस्कृतास्तथा ॥ લભગભ આધુનિક વૈયાકરણે “પ્રાકૃત' નામ તળે ઘણી ભાષાઓને સમાવેશ કરે છે, પરંતુ તેમાંની ઘણી ખરી પાછળથી થયેલાં ક્ષુલ્લક રૂપાંતર માત્ર છે. જેમ જુને વૈમ્યાકરણ તેમ તેના ગ્રંથમાં થેડી પ્રાકૃત ભાષાઓ. તે જ પ્રમાણે ઘણા પુરાણુ વૈખ્યાકરણ વરરૂચિએ ફકત ચાર જ પ્રાકૃત ભાષાઓનું વિવેચન કર્યું છે, જેવી કે મહારાષ્ટ્ર, પૈશાચી, માગધી, અને શેરસેની. આમાંથી પહેલા એટલે મહારાષ્ટ્ર ભાષાને તેણે વિશેષ મહત્ત્વની ગણે છે તથા કૈસન સાહેબે પણ પિતાના ૧. પિશાચી ભાષા ખાસ ઉપયોગી છે કારણકે જયા તે ભાષામાં લખાયેલી છે,
SR No.010005
Book TitleJain Sahitya Sanshodhak Part 2
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year
Total Pages127
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy