________________
મરું ? ].
ऐक ऐतिहासिक श्रुतपरंपरा अने तेनी परीक्षा
[ ૧૧
છે. તેમાં આટલી વધા” વિગત છે વરૂપાલ ધોળકાથી નીકળી સરીમાં આગળ મુકામ કરી પાટણ આવે છે. ત્યાં મહગુલા દેવી સ્વપ્ન આપ છે. પછી પાલણપુર થઈ આબુ આવ છે. વસ્તુપાલન સત્કાર ચંદ્રાવતીનો રાજા ધારાવર્ષ કરે છે, અને વસ્તુપાલ તેને ભેટ આપી સ તેષે છે.
આ પરંપરામાંથી નીચે પ્રમાણે બીનાઓ તારવી શકાય છે. ૧. રાણું વિરધવલના સમયમાં મૌજુદીન સુલતાનનું સૈન્ય ગુજરાત ઉપર ચઢી આવ્યું અને
વસ્તુપાલે ચંદ્રાવતીના ધારાવર્ષની મદદથી તેને હરાવ્યું. આ પ્રસંગે આ જાતની પૂર્વે થએલી ચઢાઈઓના નીચે પ્રમાણે ઉલ્લેખ આપ્યા છે. ૨. ગર્દભિલ્લ રાજાને ફેઓએ હરાવ્યો. ૩. શિલાદિત્યને પણ હરાવ્યો. ૪. જયંતચન્દ્રને ક્ષય કર્યો. ૫. શાહબુદીનને વીશવાર છેડનાર પૃથ્વીરાજ કેદ પકડાયે.
આ આખી પરંપરામાં અતિહાસિક આભાસ છે. પણ જ્યાં સુધી અન્ય પુરાવાઓથી તે સાબીત ન કરી શકાય અથવા તેની સંભવિતતા પણ ન બતાવી શકાય ત્યાં સુધી તે કેવળ પરંપરા જ રહે.
આ પરંપરામાં સૌથી મોટી ઊણપ તારીખોની છે. ઉપર જણાવેલા પાંચે બાવો કયારે બન્યા, તેમાં ખાસ કરીને વસ્તુપાલન મૌજુદીન સુલતાનના સૈન્ય સામે યુદ્ધને બનાવ વસ્તુપાલના જીવનમાં કયારે બન્યો એની આપણને ખબર નથી. ઉપર જણાવેલા ચરિતોમાં આપેલા ક્રમ પ્રમાણે આ બનાવ વસ્તુપાલના જવનના છેલ્લા ભાગમાં આવે. પણ આ ચરિતામાં વર્ણવેલા બનાવે કાલક્રમ પ્રમાણે આપેલા છે એમ માનવાને કાંઈ પણ પુરાવો નથી; કારણ કે લેખકેને હેતુ ઐતિહાસિક દૃષ્ટિએ ચરિત લખવાનું નથી. માટે આ બનાવ સમય અન્ય સ્થાનેથી મેળવવા જોઈએ.
વસ્તુપાલ અને મૌજુદીનના પ્રસંગનો વિચાર કરીએ તે પહેલાં એ પરંપરા આપનાર વસ્તુપાલથી સમયમાં કેટલો દૂર છે તે જાણવું જોઈએ. આ જાણવાથી આ બનાવ વિષેની લેખકની ३ सिद्धाविद्याग्रणीगर्द-भिल्लो यवनकुंजरैः । समूलमुदमूलि द्राग सरिद्रुम इवोन्मदैः ॥
सूर्यमण्डलनिर्गच्छदुच्चैस्तरतुरंगमं । आरुह्यासह्यतेजा यो वाजिकेलिमशीलयत् ॥ सोऽपि भूपावलीसेव्यः शिलादियो नरेश्वरः । उदच्छेदि यवस्तंबवज् जवाद्यवनवजैः॥ योजनानां शतान्युा सप्तसप्ताश्वतेजसः । यस्याज्ञा राजहंसीव लीलामाकलयत्यहो । राजा जयंतचद्रोऽसौ चन्द्रोज्वलयशाः पुनः । असुरैराशुगैः क्षिप्रं क्षयं नीतः क्षणादपि ॥ निबद्ध्य विंशतिवारान् धर्मद्वारा मुमोच यः । सहाबुदीननामानं सुरत्राणं रणांगणे ॥ पृथ्वीराजोप्यसौ तेन क्षत्राचारवतां धुरि । विख्यातो रावणेनेव बबंधे कीर्तिवीर्यवत् ॥ १४-२०
વસ્તુ. ચ. પ્રસ્તાવ ૭, ૫, ૦૮-૮, પ્રકાશક ૫. શ્રા. હીરાલાલ હંસરાજ. ૪ આ બનાવના વર્ણને પછી પ્રબંધમાં રાજશેખર બે તારીખે આપે છે, અને તે સા. પૂતડની યાત્રાએ વિષે છે. પહેલી યાત્રા વિ. સં. ૧૨૭૩માં બિબેરપુરથી કરી. બીજી સુલતાનના આદેશથી વિ. સં. ૧૨૮૬ માં કરી. આ સમયે વસ્તુપાલે તેનું સ્વાગત કર્યું.
Aho! Shrutgyanam