SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ આહાર-વિહાર, સ્વાધ્યાય, સામાચારી, કષાયનિગ્રહ, ઇન્દ્રિયજય, અહિંસાદિ સંયમવ્યાપાર, લોકાનુગ્રહ, ગુરુપારતન્ય વગેરેનું પાલન કરવાના નિયમોનો તેમ જ તે માટેની જરૂરી માનેલી ગુરુ-શિષ્યની યોગ્યતા વગેરેનો જેમ જેમ આભાસ કરીએ તેમ તેમ સાક્ષાત્ દેખાઈ આવે છે કે જૈન સાધુજીવન એટલે કેવળ કર્મમુક્તિ કિંવા દુઃખમુક્તિને ખાતર જીવાતું આદર્શ સંસ્કાર જીવન છે, એમાં અદ્ભુત આત્મસમર્પણ છે, અનોખું આત્મવિગોપન છે, અલૌકિક પરાક્રમ છે, એમાં પૂર્વ જન્મના સંસ્કારોનું દિવ્ય દર્શન છે અને સર્વ ઉપાધિ રહિત આત્મિક સુખ છે. ધર્મસંગ્રહ ગ્રંથ શ્રીસંઘનો સાચો માર્ગદર્શક ગ્રંથમાં કહેલું ગૃહસ્થધર્મનું સ્વરૂપ ગૃહસ્થનાં અને સાધુધર્મનું સ્વરૂપ સાધુનાં કર્તવ્યોનું સચોટ જ્ઞાન કરાવે છે. ઉપરાંત સંઘના ચારે અંગોની રક્ષાના અને વિકાસના કારણોને અને પતનના પ્રતિકારોને (ઉપાયોને) પણ સમજાવે છે. કોઈપણ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે ધર્મસંપ્રદાય જો તે પોતાના રક્ષણ અને વિકાસને ઇચ્છતો હોય તો તેણે આચારબળ કેળવવું જોઈએ અને તે માટેનું કાયદાશાસ્ત્ર પણ હોવું જોઈએ. આ ગ્રંથના બંને ભાગો શ્રીસંઘના વિકાસ માટે વિધિ-નિષેધરૂપે સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. એનું યથાશક્ય પાલન કરવામાં જ વ્યક્તિનું, સંઘનું, શાસનનું કે જીવમાત્રનું કલ્યાણ છે. રોગીને રોગનું નિદાન, ઔષધ અને પરેજી વગેરેની જેમ સર્વ આવશ્યક બાબતોને પૂરી પાડતો આ ગ્રંથ શ્રીસંઘનો સાચો માર્ગદર્શક છે. દીક્ષા માટે યોગ્ય-અયોગ્યવિચારણા યોગ્યતા વિના લીધેલી, અયોગ્ય ગુરુએ આપેલી, કે અવિધિથી સ્વીકારેલી દીક્ષા સ્વપરનું હિત ન કરી શકે એ વાતનો ઇન્કાર ધર્મનો અર્થી કોઈપણ કરી શકે નહિ. દીક્ષા માટે જઘન્ય-ઉત્કૃષ્ટ વયનું પ્રમાણ, માતા-પિતાદિની સંમતિ માટે નિષ્પક્ષન્યાય, વગેરે સઘળા પ્રશ્નોનો આ ગ્રંથમાં સરળ ઉકેલ છે. મધ્યસ્થ અને સૂક્ષ્મબુદ્ધિવાળો સત્યનો અર્થી કોઈપણ માન્ય કરે અને યોગ્ય આત્મા આત્મવિકાસના અનન્ય સાધનભૂત સાધુધર્મથી વંચિત ન રહે તેવું તથા અનધિકારી આત્મા ઉચ્ચપદે આવી ન જાય તેવું આમાં સ્પષ્ટીકરણ છે. વયનું પ્રમાણ, વાલીની સંમતિ વગેરે વિવિધ બાબતોનો ઉત્સર્ગ-અપવાદપદે વિચાર કરીને સાધુધર્મને પાળવા માટેની શાસ્ત્રોક્ત ભૂમિકાને પામેલો યોગ્ય આત્મા દીક્ષા માટે અધિકારી છે' એમ સ્પષ્ટ કર્યું છે. યોગ્યતા વિનાનો અબાલ હોય કે વાલીની સંમતિવાળો હોય તો પણ તેને અનધિકારી ગણ્યો છે એમ સ્યાદ્વાદદષ્ટિએ વિચારતાં આ ગ્રંથમાંથી અનેક બાબતોનો હિતકર ઉકેલ મળી રહે છે. નિમિત્તાનું બળ યોગ્યતાના વિચાર પછી દીક્ષાનો વિધિ બતાવ્યો છે. તેમાં પ્રશસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, D2-t.pm5 3rd proof
SR No.009692
Book TitleDharma Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages446
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy