________________
છે, અને મારે તે ગર્ભ ગળી શકે છે. કારણ કે મારે એ ગર્ભ પહેલાં હલતા હતા હવે હલતું નથી. એમ વિચારીને તે કલુષિત વિચારવાળી ચિંતા ન શકના દરિયામાં ડુબી ગઈ. હથેળી ઉપર મોઢું રાખીને આર્તધ્યાનને પામેલી તે ભૂમિ ઉપર નીચી નજર કરીને ચિંતા કરવા લાગી છે. અને તે સિદ્ધાર્થ રાજનું આખું ઘર પણ શેક છાએલું થઈ ગયું છે. એટલે કે જ્યાં પહેલાં મૃદંગ, વીણાઓ વગેરે વાદ્યો વાગતાં હતાં, કે રાસ લેતા હતા, નાટકીયાએ નાટક કરતા હતા, બધે વાહ વાહ થઈ રહી હતી, ત્યાં હવે બધું સૂમસામ થઈ ગયું છે, અને એ આખું ઘર ઉદાસ થઈ ગયેલું રહે છે.
- ૮૯ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતાના મનમાં થયેલ આ આ પ્રકારનો વિચાર-ચિંતવન-અભિલાષારૂપ-મનોગત–સંકલ્પ જાણીને પોતે પોતાના શરીરના એક ભાગથી કંપે છે:
૯૦ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણ રાજી રાજી થઈ ગઈ, તુષ્ટ થઈ ગઈ અને રાજી થવાને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું, એવી રાજી થયેલી તે આ પ્રમાણે બેલી ખરેખર મારે ગર્ભ હરાયો નથી, યાવત્ મારો ગર્ભ ગ પણ નથી, મારે ગર્ભ પહેલાં હલત નહતો તે હવે હલવા લાગે છે. એમ કરીને તે ખુશ થયેલી અને સંતોષ પામેલી ત્રિશલા ક્ષત્રિયાણ એમ રહેવા લાગે છે.
૯૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર શર્ભમાં રહેતાં રહેલી જ આ તકને અભિગ્રહ-નિયમ સ્વીકારે છે, કે જ્યાં સુધી માતા-પિતા કરતાં હોય ત્યાં સુધી , મોર સુંડ થઈને ઘરવાસ તજીને અનગારીપણાની દીક્ષા લેવાનું ખપે નહિ. '
૯૨ પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી નહાઈ બલિકર્મ કર્યું, કેતુક અને મંગલ પ્રાયશ્ચિત્ત કર્યો. તેમામ અલંકારોથી ભૂષિત થઈને તે ગર્ભને સાચવવા લાગી એટલે કે તેણીએ અતિશય ઠંડાં, અતિશય ઊનાં, અતિશય તીખાં, અતિશય કડવાં, અતિશય તુરાં, અતિશય ખાટાં, અતિશય બન્યાં, અતિશય ચીણાં, અતિશય લૂખાં, અતિશય ભીનાં, અતિશય સૂકાં ભેજન, વસ્ત્ર, ગંધ અને માળાએ તછ દીધાં અને ઋતુને એ સુખ આપે એવાં ભજન, વસ્ત્ર, ગંધ અને માળા ધારણ કરતી તે રેગ વગરની, શાક વગરની, મોહ વગરની, ભય વગરની અને ત્રાસ વગરની બનીને રહેવા લાગી તથા તે ગર્ભ માટે જે કાંઈ હિતકર હોય તેને પણ પરિમિત રીતે પથ્યપૂર્વક ગર્ભનું પોષણ થાય એ રીતે ઉપયોગ કરવા લાગી તથા ઉચિત સ્થળે બેસીને અને ઉચિત સમસ્ય જાણીને ગર્ભને પોષે એવો આહાર લે તે છેષ વગરના કોમળ એવાં બિછાનાં ને આસનો વડે એકાંતમાં સુખરૂપે મનને અનુકૂળ આવે એવી વિહારભૂમિમાં રહેવા લાગી. એને પ્રશસ્ત દેહદે થયા. તે દેહદો સંપૂર્ણ રીતે પૂરવામાં આવ્યા. એ દેહનું પૂરું સન્માન જાળવવામાં આવ્યું, એ દેહદોને જરાપણું અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ
"Aho Shrut Gyanam"