________________
11911
આવા મહાપુરુષ રચિત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર એક અદ્ભુત મહાકાવ્ય છે. કરૂણરસ, શૌર્યરસ, ભક્તિરસ, વૈરાગ્યરસ વિ. બધા રસોનો શ્રેષ્ઠ સમન્વય છે. છંદો સુંદર છે. અલંકાર અદ્ભુત છે, રચના મનોહર છે, શૈલી સરળ છે, ભાવો ગહન છે, ઉપમાઓ અલૌકિક છે, કથાઓ મનોહર છે, સૂક્તિઓ ચોટદાર છે, સ્તુતિઓ ભાવવાહી છે, દેશનાઓ અસરકારક છે, ઉપદેશો પ્રેરક છે, પદલાલિત્ય અનુપમ છે.
ટુંકમાં કહીએ તો બધું જ અદ્ભૂત... અદ્ભૂત... અદ્ભૂત છે.
આ ચરિત્ર દશ પર્વમાં વિભક્ત છે, પ્રત્યેક પર્વમાં અનેક સર્ગો છે, ચરિત્રમાં કથાનકો સાથે ઈતિહાસો, પૌરાણિક કથાઓ, શાસ્ત્ર અને સિધ્ધાંતની વાતો, ગહન તત્ત્વજ્ઞાન અને કર્મસિદ્ધાંતોની વાતો પણ વણી લેવામાં આવી છે.
♦ પહેલા પર્વમાં ♦ બીજા પર્વમાં • ત્રીજા પર્વમાં • ચોથા પર્વમાં
♦ પાંચમા પર્વમાં ♦ છટ્ઠા પર્વમાં
♦ સાતમા પર્વમાં
• આઠમાં પર્વમાં
♦ નવમા પર્વમાં ♦ દશમા પર્વમાં
આદીશ્વર ભગવાન-ભરતચક્રીના ચરિત્ર અજિતનાથ ભગવાન-સગરચક્રીના ચરિત્ર
સંભવનાથ ભગવાનથી શીતલનાથ ભગવાન સુધીના ૮ ભગવાનના ચરિત્રો.
શ્રેયાંસનાથ ભગવાનથી ધર્મનાથ ભગવાન સુધીના પાંચ તીર્થંકરો, પાંચ વાસુદેવો, પાંચ પ્રતિવાસુદેવો, પાંચ બળદેવો, મઘવા અને સનત્કુમાર ચક્રવર્તી આમ ૨૨ મહાપુરુષોના ચરિત્ર.
શાંતિનાથ ભગવાનનું ચરિત્ર (તેઓ તીર્થંકર અને ચક્રવર્તી બંને હતા, એટલે બે ચરિત્ર ગણત્રીમાં લેવાયા છે.) કુંથુનાથ ભગવાનથી મુનિસુવ્રતસ્વામી સુધીના ચાર તીર્થંકર, ચાર ચક્રવર્તી, ૨ વાસુદેવ, પ્રતિવાસુદેવ, ૨ બળદેવ આમ ૧૪ મહાપુરુષોના ચરિત્ર.
૨
નમિનાથ ભગવાન-૧૦માં ચક્રી હરિષણ, ૧૧માં ચક્રી જય, આઠમાં બળદેવ-વાસુદેવ - પ્રતિવાસુદેવો ક્રમશઃ રામ-લક્ષ્મણ-રાવણ આ છના ચરિત્રો છે. આ ચરિત્ર જૈન રામાયણના નામે પ્રચલિત છે. નેમિનાથ ભગવાન, નવમા વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ ક્રમશઃ કૃષ્ણ-બળભદ્ર અને જરાસંઘ આ ચાર મહાપુરુષના ચરિત્ર છે. ઉપરાંત-પાંડવો અને કૌરવોના ચરિત્રો પણ છે. પાર્શ્વનાથ ભગવાન અને બ્રહ્મદત્ત ચક્રી ચરિત્ર છે.
મહાવીર ચરિત્ર છે, બીજા પર્વો કરતાં આ પર્વ મોટું છે. ૧૩ સર્ગ છે. અંતે ગ્રંથકારની પ્રશસ્તિ છે.
11911