________________
सिंहगुहावासिमुनिज्ञातम्।
२२७ वासिनस्तु वारत्रयं दुष्करदुष्करदुष्करकारक इति कथितमिति मनसि स मत्सरं दधार । __एकवारं पाडलीपुरे श्रीसम्भूतिविजयाचार्यशिष्यस्थूलभद्रोपरिधृतामर्षः सिंहागुहावासी नामा साधुद्वितीयचातुर्मासके कोशाभगिन्युपकोशानाम्नी, तद्गृहे स्थातुं गुरुपार्वे आज्ञां मार्गितवान्, गुरुभिरयोग्यतां ज्ञात्वाऽऽज्ञा न दत्ता । गुरुभिरुक्तं हे महानुभाव ! तत्र भवतां चारित्रं न स्थास्यति । एवं गुरुवारितोऽपि स तत्र गतः, चातुर्मासकस्थित्यर्थं च याचना कृता, मम तादृक् स्थानं समर्पय ? तयापि तदर्पितम्, पश्चाद् ज्ञातं यदयं श्रीस्थूलभद्रोपरि मत्सरं धृत्वा समागतोऽस्ति ! अतोऽस्य दर्शयामि सम्यक् स्थूलभद्रगुणाकारणं फलमिति विचिन्त्य सा रात्रौ सकलशृङ्गारोपजीवितपञ्चबाणा विकसितपद्मलोचना रणन्मणिनूपुरा कटितटार्पितकूजन्मेखला चर्वितताम्बूला मधुरध्वनिविनिर्जितकोकिलस्वरा हावभावादि दर्शयन्ती मुनेः पुरतः समागता । कटाक्षान् विक्षेपयन्ती अङ्गमोटनं कुर्वन्तीं तां मृगलोचनां दृष्ट्वा मुनेः सुस्थिरमपि मनो विवशं बभूव । अहो ! दुर्जयः कामविकारः ! यदुक्तं - विकलयति कलाकुशलं, हसति शुचिं पण्डितं विडम्बयति । अधरयति धीरपुरुषं, क्षणेन मकरध्वजो देवः ॥९९॥ तथा च - मातङ्गकुम्भदलने भुवि सन्ति शूराः, ઘરમાં રહેનારા સ્થૂલભદ્રને ત્રણ વાર દુષ્કર દુષ્કર દુષ્કર કર્યું એમ કહ્યું. એમ તેણે મનમાં ઇર્ષ્યા કરી.
સ્થૂલભદ્ર ઉપર ઇર્ષાવાળા સિંહગુફાવાસી મુનિએ બીજા ચોમાસામાં પાટલીપુરમાં કોશાની બહેન ઉપકોશાના ઘરમાં રહેવાની આજ્ઞા ગુરુ પાસે માગી. ગુરુએ તેની અયોગ્યતા જાણી ના કહી. ગુરુએ કહ્યું – “હે મહાનુભાવ ! ત્યાં તારું ચારિત્ર નહીં રહે.” એમ ગુરુએ વારવા છતાં તે ત્યાં ગયા. ચોમાસું રહેવા માટે યાચના કરી - “મને તેવું સ્થાન આપ.' તેણીએ આપ્યું. પછી જાણ્યું કે આ સાધુ સ્થૂલભદ્ર ઉપર ઇર્ષ્યા કરીને આવ્યા છે. માટે “આમને સ્થૂલભદ્ર ઉપર ઇર્ષ્યા કરવાનું ફળ બરાબર બતાવું' એમ વિચારી રાત્રે બધો શૃંગાર કરીને, વિકસિત નેત્રોવાળી, રણકતા ઝાંઝરવાળી, કેડે રણકતા કંદોરાવાળી, મુખમાં પાન ચાવતી, કોયલના અવાજને જીતનારા અવાજવાળી તે હાવભાવાદિ બતાવતી મુનિની આગળ આવી. કટાક્ષો ફેંકતી શરીરથી ચેનચાળા કરતી તેણીને જોઈને મુનિનું ખૂબ સ્થિર એવું પણ મન પરવશ થયું. અરે ! કામનો વિકાર દુઃખેથી જીતાય તેવો છે. કહ્યું છે – “કામદેવ ક્ષણમાં કલાકુશલને કળા વિનાનો કરે છે, પવિત્રને હસે છે, પંડિતની વિટંબણા કરે છે, ધીરપુરુષનો તિરસ્કાર કરે છે.” “હાથીના લમણાને ફાળવામાં શૂરવીરો