________________
४८
गुर्वाज्ञापालनं सुखावहं भवति । प्रमाणीकृता, किन्तु स्वमनोविचार एव प्रमाणीकृतः, यतस्तेन तस्मिन् विलम्बितक्षणे मनसि चिन्तितं यदियं गुर्वाज्ञा ममाऽनुकूला प्रतिकूला वा, अस्याश्च सम्पादनेन मम लाभो भावी हानिर्वा, एवं विचिन्त्य गुर्वाज्ञामनुकूलां मत्वा तत्सम्पादनेन च भाविनं लाभं दृष्ट्वा तदनन्तरक्षणे स तहत्ति' इति शब्दमुच्चरति । एवं हि कुर्वता तेन गुर्वाज्ञा न प्रधानीकृता, किन्तु स्वमनोविचार एव प्रधानीकृतः । इत्थं न करणीयम्, यतो गुरु भालाभौ दृष्ट्वैवाऽऽज्ञां निर्दिशति, न तु यथाकथञ्चित् । ततो बहिर्वृत्त्या कदाचित् साऽशक्यानुष्ठाना हानिफलका वा भासमानाऽपि परिणामतो हितकारिण्येव भवति । गुरुः शिष्याणां योग्यतानुसारेण तेषां च हितं यथा स्यात्तथा-ऽऽज्ञानिर्देशं करोति, न रागद्वेषबुद्ध्या पक्षपातेन वा । ततः शिष्यैर्गुर्वाज्ञा गुरुमुखान्निःसरन्त्येव ग्राह्या, तत्र कालविलम्बो न करणीयः। तथा करणेन च शिष्याणां विपुलो लाभो भवति, तदुक्तमुपदेशमालायां श्रीधर्मदासगणिभिः
• १जो गिण्हइ गुरुवयणं, भण्णंतं भावओ विसुद्धमणो । ओसहमिव पिज्जंतं, तं तस्स सुहावहं होइ ॥१६॥'
કહેવામાં એ એકક્ષણનો પણ વિલંબ કરે તો તેણે ગુર્વાજ્ઞાને સ્વીકારી નથી પણ પોતાના મનના વિચારને જ સ્વીકાર્યો છે. કેમકે તેણે તે વિલંબ કરેલી ક્ષણમાં મનથી વિચાર્યું કે આ ગુર્વાજ્ઞા મને અનુકૂળ છે કે પ્રતિકૂળ, આનું પાલન કરવાથી મને લાભ થશે કે નુકસાન. આમ વિચારીને ગુર્વાજ્ઞાને અનુકૂળ જાણીને અને તેના પાલનથી ભવિષ્યમાં લાભ થશે એવું જોઈને ત્યારપછીની ક્ષણે તે ‘તહત્તિ કહે છે. આમ કરવાથી તેણે ગુર્વાજ્ઞાને મુખ્ય ન બનાવી પણ પોતાના મનના વિચારને મુખ્ય બનાવ્યો. આવું ન કરવું. કેમકે ગુરુ લાભાલાભ જોઈને જ આજ્ઞા કરે છે, ગમે તેમ નહીં. તેથી બહારથી કદાચ તે અશક્ય કે નુકસાનકારી લાગે તો પણ પરિણામે તો તે હિત કરનારી જ હોય છે. ગુરુ શિષ્યોની યોગ્યતા પ્રમાણે અને તેમનું હિત જે રીતે થાય તે રીતે આજ્ઞા કરે છે, રાગદ્વેષની બુદ્ધિથી કે પક્ષપાતથી નહીં. તેથી શિષ્યોએ ગુરુના મુખમાંથી નીકળતાની સાથે જ આજ્ઞાને ગ્રહણ કરવી, તેમાં કાળનો વિલંબ ન કરવો. એમ કરવાથી શિષ્યોને ઘણો લાભ થાય છે. ઉપદેશમાળામાં શ્રીધર્મદાસગણિ મહારાજે કહ્યું છે – “વિશુદ્ધમનવાળો જે શિષ્ય કહેવાતા ગુરુવચનને ભાવથી ગ્રહણ કરે છે તે પીવાતા ઔષધની જેમ તેના માટે સુખ લાવનારું બને છે.”
૨. યઃ ગૃતિ ગુરુવર, માથાને માવત: વિશુદ્ધના: |
औषधमिव पीयमानं, तत् तस्य सुखावहं भवति ॥१६॥