________________
પ્રથમા
अर्हम् १।१।१
મંગલને માટે પરમેશ્વરનું ધ્યાન કરવું.
सिद्धिः स्याद्-वादात् १।१।२
એક જ પદાર્થમાં, જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા અનેક ધર્મોનો સ્વીકાર, તે સ્યાદ્વાદ. સ્યાદ્વાદથી શબ્દોની સિદ્ધિ-ઉત્પત્તિ અને જ્ઞાન થાય છે.
અથવા
શુદ્ધ શબ્દના વાદથી-પ્રયોગથી સિદ્ધિ-સમ્યગ્ જ્ઞાન થાય છે અને સમ્યગ્ જ્ઞાનથી મોક્ષ થાય છે.
लोकात् १।१।३
અહીં જે ન કહેવામાં આવ્યું હોય તે લોકથી-તેના શાતા પાસેથી જાણવું.