________________
८
સંસ્કરણનું સંપાદન કરીને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો જે લાભ આપ્યો તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. તેમના દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉત્તમ ગ્રંથરત્નો સંપાદિત થઈને પ્રકાશિત થતાં રહે અને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો લાભ મળતો રહે એવી અમે અભિલાષા રાખીએ છીએ.
આ નવીનસંસ્કરણને પ્રકાશિત કરવા માટે વર્ધમાનતપોનિધિ પરમપૂજ્ય ગણિવર્ય શ્રીત્તયવિમહા૨ાજની શુભપ્રેરણાથીશ્રી નવાડીસા શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સ ઘજ્ઞાનદ્રવ્યમાંથી સંપૂર્ણ લાભ લીધેલ છે, તે બદલ અમારી સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.
આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે અમે ગ્રંથકારશ્રીનો પૂર્વના સંશોધકકારશ્રીનો, પ્રકાશકસંસ્થાનો, નવીનસંસ્કરણના પ્રેરકશ્રીનો, નવીનસંસ્કરણના સંપાદિકાશ્રીનો,કો બાકૈલાસસાગજ્ઞાનભંડારમાંથી મુદ્રિત પ્રત અમને પ્રાપ્ત થઈ તેમનો, આ કાર્યના અક્ષરમુદ્રાંકન કાર્ય માટેવિરતિગ્રાફિક્સ્ડાળાઅખિલેશમિશ્રશ્નો અને મુદ્રણ કાર્ય માટે ખંતપૂર્વક કાર્ય કરી આપના૨તેજસ પ્રીન્ટર્સવાળાતેજસભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અનેક આગમપાઠોથી પરિપૂર્ણ આ ગ્રંથ દ્વારા અનેક પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત થઈ શકે છે. વર્તમાનમાં આ ગ્રંથ વિશિષ્ટ ઉપકારક બને તેવો છે. આ ગ્રંથનું સારી રીતે અવલોકન કરવાથી અનેક વિષયોની જિજ્ઞાસા તૃપ્ત થાય તેવું છે અને આગમપાઠો-પ્રાચીનગ્રંથોની સાક્ષીપૂર્વકના સમાધાનથી શાસ્રપરિકર્મિત નિર્મળ પ્રજ્ઞા થવા દ્વારા સમ્યજ્ઞાન પ્રાપ્ત થવાથી સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર પણ નિર્મળતર-નિર્મળતમ બને છે અને રત્નત્રયીની આરાધનાસાધના દ્વારા આપણા સૌનું અંતિમ લક્ષ્ય નિજશુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ સૌ કોઈ ભવ્યાત્મા કરે અને શાશ્વત સુખમાં રમમાણ બની સાદિઅનંતકાળ સુધી આત્મસ્વરૂપના ભાગી બને એજ શુભભાવના.
ratan-t.pm5 2nd proof
...
ભદ્રંકર પ્રકાશન