________________
સામ્રાજ્યવર્તી પરમપૂજય, સિદ્ધહસ્તલેખક આચાર્યભગવંત શ્રીમદ્વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજીમહારાજસાહેબના શિષ્યરત્ન તપસ્વી મુનિરાજશ્રી પ્રશમપૂર્ણવિજયજી મહારાજસાહેબની પાવન પ્રેરણાથી શ્રીઆલવાડા જૈન શ્વે. મૂ. સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી લાભ લેવામાં આવ્યો છે, તે બદલ અમે પૂજ્ય મુનિવરશ્રીનો તથા આલવાડા શ્રીસંઘનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અમે આ ગ્રંથપ્રકાશનના સોનેરી અવસરે આ ગ્રંથની કૃતિઓની રચના કરનાર અનેક આચાર્યભગવંતો વગેરેનો, પ્રથમવૃત્તિ પ્રકાશિત કરનાર શ્રીસિંઘી જૈનશાસ્ત્ર શિક્ષાપીઠનો, પ્રથમવૃત્તિના સંપાદકશ્રીનો તથા શ્રીકોબાકૈલાસસાગરજ્ઞાનભંડારમાંથી અમને આ ગ્રંથની મુદ્રિત પ્રથમવૃત્તિ પ્રાપ્ત થઈ તેઓશ્રીનો તથા નવીનસંસ્કરણના સંપાદિકા સાધ્વીશ્રીનો કૃતજ્ઞભાવે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અક્ષરમુદ્રાંકન કાર્ય માટે વિરતિ ગ્રાફિક્સવાળા અખિલેશ મિશ્રાએ સુંદર કાર્ય કરી આપેલ છે અને પ્રીન્ટીંગના કામ માટે તેજસ પ્રીન્ટર્સવાળા તેજસભાઈએ ખંતપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
પ્રાંતે આવા ઉત્તમ ઉપદેશાત્મકગ્રંથના વાંચન મનન અને નિદિધ્યાસન દ્વારા આત્માને જાગૃત કરીને પરમપદને પામનારા બનીએ !!.
– ભદ્રંકર પ્રકાશન
sukar-t.pm5 2nd proof