________________
પ્રકાશકીય
ધર્માસ્યુદયમહાકાવ્યના પરિશિષ્ટવિભાગરૂપે સોળ પરિશિષ્ટોમાં સુકૃતકીર્તિકલ્લોલિની, વસ્તુપાલસ્તુતિ, વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ, વસ્તુપાલસ્તુતિકાવ્ય. ગિરનારતીર્થસ્થવસ્તુપાલપ્રતિષ્ઠિતનેમિનાથપ્રાસાદપ્રશસ્તિઓ. અર્બુદાચલસ્થિતપ્રશસ્તિઓ. શિલાલેખો, ઉપદેશમાલા કર્ણિકાવૃત્તિગતવસ્તુપાલવર્ણન, સુરથોત્સવકાવ્યગતવસ્તુપાલવંશવર્ણન, નરનારાયણાનંદકાવ્યગતપ્રશસ્યાત્મકવર્ણન, વસ્તુપાલવિરચિતઆદિનાથસ્તોત્ર, નેમિનિસ્તવ, અંબિકાદેવીસ્તોત્ર, મહામાત્યવસ્તુપાલકૃતઆરાધના, વસ્તુપાલસંબંધિત ગ્રંથાતપુષ્યિકાલેખ, રેવંતગિરિરાસ, આબૂરાસ આદિનો પ્રસ્તુત ગ્રંથમાં સંગ્રહ આપવામાં આવેલ છે.
આ “સુકતકીર્તાિકલ્લોલિન્યાદિવસ્તુપાલપ્રશસ્તિસંગ્રહ' ગ્રંથનું સંપાદન શ્રુતશીલવારિધિ, આગમપ્રભાકર, મુનિપ્રવર શ્રીપુણ્યવિજયજીમહારાજસાહેબે કરેલ છે. આ ગ્રંથ વિ. સં. ૨૦૧૬, ઈ. સ. ૧૯૬૧માં સિંઘી જૈન ગ્રંથમાલાના ગ્રંથાંક-પ તરીકે સિંઘી જૈન શાસ્ત્રશિક્ષાપીઠ ભારતીય વિદ્યાભવન-મુંબઈથી પ્રકાશિત થયેલ.
આ ગ્રંથની પ્રથમવૃત્તિ જીર્ણ થવા આવેલ હોવાથી અને અપ્રાપ્ય હોવાથી અમારા પરમોપકારી પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજય રામચંદ્ર-ભટૂંકર-કુંદકુંદસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજી મહારાજે નવીનસંસ્કરણ તૈયાર કરવા માટે પરમપૂજ્ય, વ્યાખ્યાનવાચસ્પતિ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજય, સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વી શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના મૃતોપાસિકા સાધ્વી શ્રીચંદનબાલાશ્રીને પ્રેરણા કરી અને પૂજ્ય પંન્યાસજી મહારાજની શુભપ્રેરણાને ઝીલીને સાધ્વી શ્રીચંદનબાલાશ્રીએ આ “સુકતકીર્તાિકલ્લોલિન્યાદિવસ્તુપાલપ્રશસ્તિસંગ્રહ'નું નવીનસંસ્કરણ સંપાદિત કરેલ છે અને અમારી સંસ્થાને આ ગ્રંથ પ્રકાશિત કરવાનો લાભ મળ્યો છે તે અમારા માટે અતિ આનંદનો વિષય બનેલ છે.
પ્રસ્તુત સુકૃતકીર્તિકલ્લોલિન્યાદિપ્રશસ્તિસંગ્રહ' ગ્રંથને પ્રકાશિત કરવા માટે પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના