________________
અને ત્રીજા કવિ બાલચન્દ્ર તે જ વિષય ઉપર કાવ્ય રચીને નિઃસંદેહ પોતે પોતાને સમાન સહિત વિમુક્ત કરેલ છે.
આ કાવ્યની ભાષા વિશિષ્ટ કાવ્યોચ્છવાસથી ઓતપ્રોત છે અને તે માટે આ રચના પર તેમના વ્યક્તિત્વની છાપ પડેલી છે. કાવ્યનું વર્ણન લાંબુ અને ઘણું હોવા છતાં પણ સુંદર અને પ્રાણવાન પ્રતિભાઓથી પરિપૂર્ણ છે. કવિની યોગનિદ્રા (૧-૫૮/૭૦)માં સરસ્વતીનું પ્રગટ થવું (૧-૫૮૭૦), અણહિલવાડનું વર્ણન જેમાં વાસ્તવિકતા અને કાલ્પનિકતાનું સારું મિશ્રણ છે (સર્ગ-૨), સ્તષ્મતીર્થનું સંક્ષિપ્ત પરંતુ આશ્ચર્યજનક વર્ણન (૩-૧૭/૨૩), શંખની સાથે યુદ્ધનું સ્વભાવસંગત વર્ણન, જે વસ્તુતઃ યુદ્ધમાં ભાગ લેવાવાળા ઐતિહાસિક વ્યક્તિઓનું જ વર્ણન છે (સર્ગ-૫) તેની કવિતાનું જોવા યોગ્ય ઉદાહરણ છે.
મંત્રીપદ ઉપર નિયુક્તિના સમયે વસ્તુપાલના મુખથી કહેવાયેલો એક શ્લોક કવિ બાલચંદ્રની શ્લેષકવિતાનું એક મજાનું ઉદાહરણ છે
अत्यर्थमर्थमुपढौकिमाद्रियन्ते त च प्रभूतगुणितं पुनरर्पयन्ति । न्यस्ता: पदे समुचिते गमिताश्च मैत्री શબ્દાઃ રિવ નૃપી નિયાિન: યુઃ |
[સ-રૂ/સ્તો-૭૧] રાજાએ કહ્યું–નીચેનો શ્લોક કીર્તિકૌમુદી (૩-૭૦)માં ઉદ્ધત શ્લોકનું સ્મરણ કરાવી આપે છે
न्यायं यदि स्पृशसि लोभमपाकरोषि कर्णेजपानपधिनोषि शमं तनोषि । सुस्वामिनस्तव धृतः शिरसा निदेशस्तन्नूनमेष मयकाऽपरथाऽस्तु भद्रम् ॥
[સ-રૂ/નો-૮૦] શંખે જે દૂત દ્વારા વસ્તુપાલને પોતાની સેવામાં આવી જવાનું કહેવડાવ્યું તેનું મુખ તોડીને જવાબ આપેલો જોઈએ
क्षत्रियाः समरकेलिरहस्यं जानते न वणिजो भ्रम एषः । अम्बडो वणिगपि प्रधने किं मल्लिकार्जुननृपं न जघान ॥ दूत ! रे वणिगहं रणहट्टे विश्रुतोऽसितुलया कलयामि । मौलिभाण्डपटलानि रिपूणां स्वर्गवेतनमथो वितरामि ॥
[સ-૧/સ્તો-૪૩-૪૪]
bsnta-t.pm5 3rd proof