SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ રચના છે. “વ્યામુવા પ્રસ્થા?’ એ ન્યાયે શરૂઆતનો અંશ થોડો કઠિન છે ખરો, પણ જેમ જેમ આગળ વધો એટલે વધુ ને વધુ સરળ થતું જશે. અહીં ૪૨ છંદ અને ૧૧૮ અલંકારોની સમજૂતી આપી છે. મૂળ શ્લોકો સિદ્ધાન્ત મહોદધિ-મહાકાવ્યના છે. આ કાર્ય શ્રીભટેવા પાર્શ્વનાથ-ચાણસ્મા (રચના સ્થળ) તથા પૂજ્યગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની અસીમ કૃપાવૃષ્ટિથી સંપન્ન થયું છે. સંપાદનમાં મુનિરાજશ્રી તીર્થપ્રેમ-ભાવપ્રેમ-રાજપ્રેમવિજયજી સહાયક બન્યા છે. પાર્થ કોમ્યુટર્સ શ્રી વિમલભાઈનો સહકાર પણ સ્મરણીયા છે. અભ્યાસુવર્ગ આના ઉપયોગ દ્વારા સ્વ-પર કલ્યાણના સાધક બને એ અભિલાષા સાથે જિજ્ઞાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ્યું. જે છંદ જ્ઞાન ભૂમિકા છે લઘુ = જે વર્ણમાં હ્રસ્વ સ્વર હોય અને જેની પછીનો. વર્ણ જોડાક્ષર ન હોય તે નિશાની ? | ગુરૂ = જે વર્ણમાં દીર્ઘ સ્વર હોય અથવા જેની. પછીનો વર્ણ જોડાક્ષર હોય તે નિશાની - ડા ત્રણ વર્ણના સમૂહને ગણ કહેવાય. ગણ આઠ છે. તેમના નામ અને લઘુ-ગુરુ ની સમજૂતી નીચે પ્રમાણે છે. મ - ગણ - ડ ડ ડ ભ - ગણ - ડ | | ત - ગણ ) ડ ડ | ન - ગણ ) | | | ૨ - ગણ - ડ ા ડ સ - ગણ | | ડ જ - ગણ 2 | ડ | ચ - ગણ | ડ ડ આ ગણોને સહેલાઈથી યાદ રાખવા માટે આ codeword પ્રસિદ્ધ છે ? માતારાજભાનસય(માતા) દા.ત. “મ' ગણ લેવો હોય તો “મ' થી ચાલુ થતા ત્રણ વર્ણ લો - માતારા હવે તેના પ્રમાણે લઘુ-ગુરુ મૂકી દો - ડ ડ ડ. મ ગણ મળી ગયો. (જોડાક્ષરની પૂર્વના વર્ણ પર ભાર મૂકવો પડે છે. = તીવ પ્રયત્ન કરવો પડે છે. માટે તે વર્ણ લઘુ હોય તો પણ તેને ગુરુ ગણ્યો છે. પણ જ્યાં જોડાક્ષર પૂર્વે ભાર મૂકવો પડતો નથી. ત્યાં તે સ્વર ગુરુ ગણાતો નથી. છંદોનુશાસનમાં “તવ હિચાહિયે મમ દીરભૂત' ઈત્યાદિથી આના ઉદાહરણો આપ્યાં છે. (સૂત્ર-છ વૃત્તિ:) વળી આવા જોડાક્ષરો પૂર્વે ય જ્યાં તીવપ્રયત્ન કરવો પતો હોય. તે તો ગુરુ જ ગણાય છે. આનો ઉપયોગ જવલ્લે જ દેખાય છે. માટે સ્વયં કરતા વિચારવું, પણ કોઈએ કરેલ હોય ત્યાં તેની ભૂલ ન કાઢવી.) જ છંદજ્ઞાન SHORTCUT # મ ગણ વગેરે કોઈ ગણના જ્ઞાન વિના પણ છંદોનો પ્રયોગ કરી શકાય છે. માત્ર ગુરુ અને લઘુ કોને કહેવાય તે બરાબર સમજી લો, છંદની ફર્મ્યુલા મુજબ ગુરુ-લઘુ મૂકી દો અને તે મુજબ રચના કરી લો, એટલે શ્લોક તૈયાર. ફેર્મ્યુલા યાદ ન રહે તો.... જે શ્લોક આવક્તા હોય તે ક્યા છંદના છે તે યાદ રાખી લો. અને તેની (ચારમાંથી કોઈ પણ એક) પંક્તિના આધારે ગુરુ-લઘુ મૂકી દો. એટલે ફેમ્ફલા મળી જશે. જેમ કે - ભક્તામર૦, ભાવાવનામસુર૦ – વસંતતિલકા છંદ સ્નાતસ્યા > શાર્દૂલવિક્રીતિ છંદ આમૂલાલોલધૂલિ. > સંગ્ધરા છંદ બોધાગાધ સુપદ૦ – મન્દાક્રાન્તા છંદ — — – ૧ – –
SR No.009537
Book TitleChhandolankaranirupanam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages28
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy