SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, તેમનું બળવાન સંસ્કૃત મન અને વિશુદ્ધ આત્મા ભૂત-ભાવિ વર્તમાન બધાને જ હસ્તામલકાવત્ જોઈ શકે છે. જે તે જુએ તે સત્ય જ હોય છે. આટલી જ સ્વમશાસ્ત્રની જડ છે. આજ મૂળતત્તવ છે. એટલે સ્વપ્રશાસ્ત્ર એ અધ્યાત્મશાસ્ત્રના વિભાગરૂપ છે. વિશ્વસનીય છે. ખાલી વહેમ માત્ર નથી, અથવા અજ્ઞાનમૂલક નથી. સ્વપનશાસ્ત્રમાં પિતાના કાર્યના પરિણામનું જ્ઞાન, આધિદૈવિક, આધિદૈતિક ચિંતાઓનું નિરાકરણ અને છેવટે મારા મૃત્યુઝાન ઈત્યાદિ વિષયે ચલા છે. આ શાસ્ત્ર આત્મવિશુદ્ધિદ્વારા ગમ્ય હેઈ તેમાં સામાન્ય માણસની ગતિ થઈ શકતી નથી. અને આવી સિદ્ધિવાળાઓ સામાન્ય ભાષામાં ભેગી યા મહાત્મા ગણતા હોઈ યા દેવાંશી ગણાતા હોઈ આ શાસ્ત્રને શાસ્ત્રરૂપે વધુ વિકાસને અવકાશ ન મળે. જેમ એગશાસ્ત્રનું થયું, તેમ આનું પણ થયું છે. એમ અનુમાન થાય છે. અને નિમિત્તશાસ્ત્રની આ બીજી શાખાને હાસ લગભગ થઈ શકે છે, નિમિત્તશાસ્ત્રની ત્રીજી શાખા સ્વરશાસ્ત્ર છે. સ્વરોદયશાસ્ત્રને સાધારણ રીતે ઘણુ માણસે નામ માત્રથી પણ જાણતા હોય છે. તેને જનસાધારણ સફેદ કહે છે. કોઈ કાળમાં આ વિભાગને મેટ ફેલા થઈ ગયે હશે. સાધારણ માણસો પણ નાસિકાના શ્વાસોશ્વાસની પરીક્ષા કરવાના ચાળા કરી શુભાશુભ કહેવા મંડી જાય છે. અને આપણામાં તે એક પ્રચલિત શબ્દ જેવુંજ થઈ પડયું છે કે એ તે અમારા ઘરને “સદો જ છે, કે આમ જ થાય. અર્થાત્ સ્વરાયદ્વારા પિતામાં કાર્યના પરિ સુમને વિચાર કરવાની સર્વસાધારણ રૂઢી હેવી જોઈએ, એ દઢ છે. મુખ્યત્વે યેગી હોવાનો ડોળ કરનાર, બાવાઓ, સાધુઓ ઈત્યાદિ આ શાસ્ત્રને આશ્રય લઈ બેઠેલા માલુમ પડે છે. અને જનતાને ઠગી ખાય છે. ઘણુંખરા જોશીનો બંધ કરનારા પણ વાતવાતમાં નાસિકાસ્વર તપાસવા મંડી જાય છે. આ બધું આ શાસ્ત્રની વ્યાપતાનું રહી ગએલું ચિહ્ન છે. આજે આ વસ્તુને તેના શાસ્ત્ર તરીકે જાણનાર કેઈક જ મળી આવશે. વસ્તુત: તે આ શાસ્ત્રનાં સ્વરૂપનું પણ તેમને જ્ઞાન નથી હોતું. સ્વરશાસ્ત્ર એ જુદું શાસ્ત્ર છે, જ્યારે નાસિકાવર એ કઈ જુદી જ વસ્તુ છે. પરંતુ અસલ સ્વરશાસ્ત્રની જગ્યાએ નાસિકાસ્વરે ઘણું વખતથી રસ્થાન જમાવી લીધું છે, અને તેની પણ સ્વરશાસ્ત્રમાં જ ગણના થઈ ગઈ છે. આ હકીક્ત આજની નથી. ઘણું વખતથી છે.
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy