________________
२५
આપી.૨૯ મીર્ઝા સાદુલ્લા ખાંએ આ મહોત્સવમાં જલયાત્રાનો નિષેધ કર્યો. આ. શ્રી વિજયદેવસૂરિજીએ તેને સમજાવવા માટે ઉપા. શ્રી ભાનુચન્દ્રા ગણીને આજ્ઞા કરી. ગુરુને શ્રમ ન આપવાના આશયથી મુનિશ્રીસિદ્ધિચન્દ્રજીએ આ જવાબદારી લીધી અને ખાં-ને સમજાવી આવ્યા. ત્યારબાદ મો. શ્રીભાનુચન ગણી વડોદરા-ગંધાર વગેરે શહેરોમાં વિચરી પાટણા ચોમાસું રહ્યા.
૩૨
પાટણના ચાતુર્માસ દરમ્યાન અમદાવાદ સ્થિત ગુજરાતના સૂબા ફૂલીખાન ૫૨ બાદશાહ જહાંગીરનું ફરમાન આવ્યું કે- ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણી અને મુનિ શ્રીસિક્રિયઅને મારી પાસે મોક્લવા ફૂલીખાને માધવદાસ નામના પોતાના અંગરક્ષક દ્વારા પાટણ સમાચાર મોકલી ઉપા. ભાનુચન્દ્ર ગણીને અમદાવાદ બોલાવ્યા. ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણી તેમ જ મુનિશ્રી સિદ્ધિચન્દ્ર અમદાવાદમાં ફૂલીખાનને મળ્યા. ફરમાન જોઈ તેમણે આમા તરફ વિશ્વર કર્યો, વિહારક્રમમાં તેઓ મેડતા, ફાધિ આવ્યા. ફૌધિમાં ખરતરગચ્છના શ્રાવકોએ શ્રી ફલૌધિ પાર્શ્વનાથ તીર્થ કબ્જે કર્યું હતું. ૫-૭ દિવસ રહી મુક્ત કરાવ્યું. અનુક્રમે આગ્રા પહોંચ્યા. રામદાસ’ નામના શ્રાવકે બાદશાહ જહાંગીરને સમાચાર આપ્યા. બાદશાહ ખૂબ જ આનંદિત થયો અને તેમને મહેલમાં તેડાવી રોજ મહેલમાં આવવાનું આમન્ત્રણ આપ્યું.
ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણી તેમ જ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી રોજ રાજમહેલમાં ધર્મોપદેશ કરવા જતા. રાજાની વિનંતિથી મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી વ્યાખ્યાન કરતા. એક વાર વ્યાખ્યાન સમયે બાદશાહે મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને પ્રશ્ન કર્યો કે-“પરબ્રહ્મની સાધનામાં લીન એવા આપને જન્મથી કેટલા વર્ષ થયા ? મુનિશ્રી સિચિન્દ્રએ જવાબ વાળ્યો "૨૫”. વ્યાખ્યાન દરમ્યાન પોતાને આવેલો વિચાર વ્યક્ત કરતા બાદશાહે કહ્યું કે-“આપના શરીર પર શોભતા રાજચિહ્નો
૨૯. શ્રાવિકા ‘લાલી' દ્વારા આ પ્રસંગ વિ. સં. ૧૬૬૪માં ઉજવાયો હતો તેવા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૩૦. સૈષદમાંનો પુત્ર સાલાખો પાટાનો ફોજદાર હતો.
૩૧. સંભવતઃ વિ. સં. ૧૬૬૭-૬૮ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીની વય ૨૩ અથવા ૨૪ વર્ષ.
૩૨. લીખાન જહાંગીરના સમયમાં ગુજરાતના પહેલા સૂબા તરીકે આવ્યો હતો. તેનું બીજું નામ ‘મીર્ઝા સમસુદ્દીન’ હતું. તે મીર્ઝા શમ્સીનો મોટો પુત્ર હતો. (આઈને-અકબરી) બાદશાહ અકબરના સૈન્યમાં તે એકહજાર સૈનિકોનો સરદાર હતો. બાદશાહ જહાંગીર ફૂલીખાનને પ્રતિમાસ રુ. ૩૦૦૦ વેતન આપનો ઉપરાંત તેને ૨૫૦૦ ઘોડા પણ આપ્યા હતા. તેની સાથે મોહનદાસ દવાન અને મસુદ બેગ હમઝાની બક્ષીને સાથે રાખવાનો આદેશ બાદશાહ જહાંગીરે આપ્યો હતો. આ મોહનદાસ દીવાનનો જ અત્રે માધવ દ્વારા અંગરક્ષક તરીકે ઉલ્લેખ થયો હશે તેવું મો.દ. દેસાઈ કહે છે.
વિ. સં. ૧૯૬૭માં ફૂલીખાન ગુજરાતનો સૂબો હતો તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જે આ પ્રમાણે છે "स्वास्ति श्री नृपविक्रमार्कसमयातीत संवत् १६६७ वर्षे... फागुणमासे १ शुक्लपक्षे १० दशम्यां तिथी भीमादिने । अह श्रीगुर्जरा धीय..... पातशाह श्री ७ सुखाणरदीमहिम्मद जहांगीर अदलि राज्ये तत्समये पातशाह श्री श्री ७ आग्रामध्येविजयराज्यं क्रियते ...। तत्र श्री अहम्मदावाद नगरे हाक्यिम नवाब श्री ५ जहांगीर कुलीषांन धर्मन्यायां પ્રવર્તતે......
asta\mangal-t\3rd proof