________________
શ્રી ઉપાશક દશાંગ સૂત્રને માટે અભિપ્રાય. મૂળ સુત્ર તથા પૂ. મુનિશ્રી ઘાસીલાલજીએ બનાવેલ સંસકૃત છાયા તથા ટીકા અને હિંદી તથા ગુજરાતી-અનુવાદ સહિત.
પ્રકાશક- અ. ભા. ૨. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, ગરેડીઆ કુવા રેડ, ગ્રીન લેજ પાસે, રાજકોટ. (સૌરાષ્ટ્ર) પૃષ્ઠ ૬૧૬ બીજી આવૃત્તિ બેવડું (મિટું કદ. પાકું પુછું. જેકેટ સાથે સને ૧લ્પદ કિંમત રૂા. ૮-૮-૦
આપણુ મૂળ બાર અંગ સુમાંનું ઉપાશક દશાંગ એ સાતમું અંગ સુત્ર છે, એમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકે શ્રાવકેનાં જીવનચરિત્ર આપેલાં છે તેમાં પહેલું ચરિત્ર આનંદ શ્રાવકનું આવે છે.
આનંદ શ્રાવકે જૈન ધર્મ અંગીકાર કર્યો અને બારવ્રત ભગવાન મહાવીર પાસે અંગીકાર કરી પ્રતિજ્ઞા (પ્રત્યાખ્યાન) લીધાં તેનું સવિસ્તર વર્ણન આવે છે. તેની અંતર્ગત અનેક વિ જેવા કે, અભિગમ, કાલકસ્વરૂપ, નવતત્વ, નરક દેવલેક વગેરેનું વર્ણન પણ આવે છે.
આનંદ શ્રાવકે બાર વ્રત લીધા તે બારે વ્રતની વિગત અતિચારની વિગત વગેરે બધું આપેલું છે. તે જ પ્રમાણે બીજા નવ શ્રાવકેની પણ વિગત આપેલ છે.
આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં અરિત વાર્દ શબ્દ આવે છે. મૂર્તિપૂજકે મૃર્તિા સિદ્ધ કરવા માટે તેને અર્થ અરિહંતનું ચિત્ય (પ્રતિમા) એ કરે છે. પણ તે અર્થ તદન ખેડે છે. અને તે જગ્યાએ આગળ પાછળના સંબંધ પ્રમાણે તેને એ પેટે અર્થ બંધ બેસતું જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામાં અનેક રીતે પ્રમાણે આપી સાબિત કરેલ છે અને રિહંત વાર્દ ને અર્થ સાધુ થાય છે તે બતાવી આપેલ છે.
આ પ્રમાણે આ સૂત્રમાંથી શ્રાવકને શુદ્ધ ધર્મની માહિતી મળે છે તે ઉપરાંત તે શ્રાવકેની અદ્ધિ, રહેઠાણ, નગરી વગેરેના વર્ણને ઉપરથી તે વખતની સામાજિક સ્થિતિ, રીતરિવાજ રાજવ્યવસ્થા વગેરે બાબતેની માહિતી મળે છે.
એટલે આ સૂત્ર દરેક શ્રાવકે અવશ્ય વાંચવું જોઈએ એટલું જ નહિ પણ વારંવાર અધ્યયન કરવા માટે ઘરમાં વસાવવું જોઈએ.
પુસ્તકની શરૂઆતમાં વદ્ધમાન શ્રમણ સંઘના આચાર્યશ્રી આત્મારામજી મહારાજનું સંમતિ પત્ર તથા બીજા સાધુએ તેમજ શ્રાવકેના સંમતિ પત્રે આપેલા છે, તે સૂત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે છે.
“જેને સિદ્ધાંત” જાન્યુઆરી, ૫૭