________________
ઉદ્યાનમાં તેમનાં સમવસરણ થયાં હતાં તેમનાં નામો, જે યક્ષ–ચામાં એ સમવસરણો થયાં હતાં તે ચૈત્યનાં તથા ચૈત્યેના અધિષ્ઠાતા પક્ષોનાં નામો અહીં આપવામાં આવ્યાં છે. બીજી નગરીઓનાં નામે પણ અહીં મળી આવે છે. એ નગરીઓનાં રાજા રાણીઓ, યુવરાજો અને યુવરાણીઓ, સાર્થવાહ, ગાથાપતિઓ, વિદ્યો, ગણિકાઓ, રાજનાપિત, ચિત્રકારે, ગેમંડપ, ચોરપલિકાઓ, અધિકારીઓ, વગેરેના અહીં ઉલ્લેખ મળે છે. એ ઉપરથી તે સમયના રીતરીવાજોનું આપણને જ્ઞાન થાય છે. એમાંના કેઈ કેઈ ઉપયોગી નિદેશે અહીં ટૂંકામાં આપવામાં આવ્યા છે.
નગરીઓમાં મૃગાગામ, વાણિજ્યગ્રામ, પુરિમતાલનગર, શેભાંજની નગરી, કૌશાંબી નગરી, મથુરા, પાટલીખંડ, શૌર્ય પુર, હિતક, વર્ધમાનપુર, રાજગૃહ, હસ્તિ શીર્ષ, હસ્તિનાપુર, વૃષભપુર, વીરપુર, વિજયપુર, સૌગંધિકા નગરી, ચિકીન્સિકા નગરી, કનકપુર, મહાપુર, ચંપાનગરી, સાકેત (અધ્યા ), શતદ્વાર, છગલપુર, ઈન્દ્રપુર, સુપ્રતિકપુર, વણારસી, સર્વતોભદ્ર, સિંહપુર, નંદીપુર, ગંગપુર પુંડરીકિણી, Uપુકાર, મહાઘેષ, સુષ, મણિપુર, વગેરે છે. એમાં કૌશાંબી, વાણિજ્યગ્રામ, મથુરા, શૌર્યપુર, હસ્તિનાપુર, વણારસી, રાજગ્રહ, સાકેત, એ ઈતિહાસપ્રસિદ્ધ સમકાલીન નગરીઓ છે.
તમામ નગરીઓનાં મુખ્ય ઉદ્યાનાં તથા ત્યાં આવેલા યક્ષોનાં નામો અહીં આપેલાં છે, ઉદ્યાનનાં નામોમાં ચન્દનપાદપક, દીપલાશ, અમેઘદશી, દેવરમણ, ચન્દ્રોત્તર, ભંડીર, વનખંડ, વિજય વર્ધમાન, પૃથ્વી–અવતંસક, પુષ્પ કરંડક, તૃપકરંડક, મરમ, રક્તાશક, પૂર્ણભદ્ર, ઉત્તરકુરુ, ચન્દનવન, નીલાશેક, • કતાશે, સહસ્ત્ર (આંબા) વન, એ મુખ્ય નામે છે. આ નામે કેવાં અર્થસૂચક છે !
મહાવીર સ્વામીનાં સમવસરણે યોનાં ચૈત્યવાળાં ઉદ્યાનમાં થતાં. ત્યાં જ પરિષદ થતી, ઉપદેશ ત્યાં જ અપાત, રાજારાણીઓ, પ્રજાજને વાંદવા તથા ઉપદેશ સાંભળવા ત્યાં જ જતાં. વિપાકસૂત્રમાં ઉદ્યાનના યક્ષેનાં સૂચક નામે આપવામાં આવ્યાં છે. આ ય–દેવતાઓની માનતા થતી હતી. ઉદુંબર યક્ષના નામ ઉપરથી એક અધ્યયનના વિષયભૂત જીવ–આત્માનું નામ ઉર્દુબરદસ્ત પાડવામાં આવ્યું હતું. એ જ અધ્યયનમાં ઉબરયક્ષની પૂજાનું ખૂબીદાર વર્ણન કરવામાં