SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ હમણા બે વર્ષ પહેલા જ, “શેઠ મલીચ દ જેચ દ ધર્મસિંહજી ના સ્થાનકના આલિશાન મકાનનું ઉદ્દઘાટન તેઓશ્રીના વરદ હસ્તે થયું હતું તેઓએ અનેક પ્રસંગોએ અનેક પ્રકારની નાની મોટી સખાવતે કરી છે તેઓ આ સખાવતેને જાહેરમાં નહિ લાવવાની ઈચ્છાવાળા હેવાથી, મેટે ભાગે તે ગુપ્ત જ રહેવા પામી છે જૈનધર્મના સાહિત્યને ઘેલા થાય, જેને આચાર, વિચાર અને ક્રિયા કાઠમા આગળ વધે છે તેમની ઉત્કટ ઈચ્છા હોવાથી શ્રાવક્તા બારવ્રત, મહાવીર સ્તુતિ, અનુપૂર્વીએ, પચાગે વગેરે વારવાર છપાવીને જનતામાં વિના મૂલ્ય પ્રચાર કરી જૈનધર્મની સારી સેવા બજાવી છે, તેમજ દરેક નવા નીકળતા પુસ્તકોની સારી નકલો ખરીદીને તેમણે હમેશા જૈન સાહિત્યકારોને ઉત્તેજન આપ્યું છે જૈનશાસ્ત્રોદ્ધાર સમીતી રાજકોટ, થા જૈન છાત્રાલય, અમદાવાદ, વર્ધમાન તપ આય બીલખાતું, છીપાપોળ જૈનધર્મ સ્થાનક તેમજ બહારના અનેક ધર્મ સ્થાનકેમા તેમણે ઉચિત રકમ આપીને પિતાને ધર્મપ્રેમ ધર્મ ધગશ વ્યક્ત કર્યો છે તેઓશ્રી સામાયિક કે પ્રતિક્રમણની ક્રિયા ઘર આગળ બેસીને નહિ, પરંતુ ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં આવીને આ ક્રિયાઓ કરતા અને અન્ય સામાન્ય જનતાને પ્રેરણાદાયી બનતા એ ખાસ તેમની વિશિષ્ટતા હતી સ્વર્ગવાસ વખતે તેમની ઉમર ૮૪ વર્ષની હોવા છતા, તેઓ છેક સુધી સશક્ત રહ્યા હતા એમ કહીએ તે એમાં અતિશયોક્તિ જેવું નથી તેમનું અવસાન સંવત ૨૦૧૫ના ચઇતર સુદ ૮ બુધવારે સવારના થએલ, તેના આગલા દિવસે પણ સવારના દસ વાગ્યા સુધી તેમને સામાયક વિગેરે નીત્ય કર્મ કરેલ હતું મૃત્યુ અગાઉ ચાર દિવસ પહેલાં, તેઓ છીપાળમાં આવ્યા ત્યારે સ્થા જિન પત્રના તત્રીને તેમની મુલાકાત થઈ હતી તે વખતે તેમણે પૂછેલું કે આપણા પચાગ છપાઈ ગયા? કલોલ, કડી મોકલ્યા? વઢવાણ મેકલ્યા? આમ અતિમ દિવસમાં પણ તેમની ધર્મભાવના કેટલી પ્રબળ હતી તે તેમના ઉપરોક્ત શબ્દોથી સ્પષ્ટ થાય છે તેઓશ્રી અમદાવાદમાં તમામ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં બીરાજતા પૂજ્ય મુનિવર તથા પૂજ્ય મહાસતીજીઓની સારી રીતે સંભાળ લેતા હતા તેઓ સ્વભાવે સરળ, ગભીર, સહજમાં સૌ કોઈનું મન જીતી લે તેવા પ્રભાવશાળી હતા તેમનું મોસાળ અમદાવાદમાં શેઠ પાનાચંદ ઝવેરચદના મિઠ કુટુંબમાં હતું
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy