SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રત-ભકિત (પૂ. આચાર્ય શ્રી ઘાસીલાલજી મસા.ની આજ્ઞા અનુસાર લખનાર) - દ. સ. ના જૈન મુનિ શ્રી દયાનંદજી મહારાજ આજે લગભગ ૨૦ વર્ષથી શ્રદ્ધય પરમપૂજ્ય. જ્ઞાનદિવાકર ૫,૦ મુનિશ્રી ઘાસીલાલજી મ. ચરમ તીર્થકર ભગવાન મહાવીરના અનુત્તર, અનુપમ ન્યાય યુક્ત, પૂર્વાપર અવિધ સ્વરૂપ કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના ઘાતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે, તેઓશ્રી પ્રાચીન, પોર્વાત્ય સંસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પંડિત છે, અને જિનવાણીને પ્રકાશ સંસ્કૃત, ગુજરાતી અને હિંદીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણ, સાથે પ્રકાશમાં લાવે છે. ભ૦ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી. પરંતુ તેમની વાણી રૂપે અક્ષરદેહ ગણધર મહારાજેએ કૃતપરંપરાએ સાચવી રાખ્યો મૃતપર. પરાથી સચવાતું જ્ઞાન જ્યારે વિકૃત થવાને સમય ઉપસ્થિત થવા લાગે ત્યારે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વર્ભીપુર-વળામાં તે આગમેને પુસ્તક રૂપે આરૂઢ કર્યો. આજે આ સિદ્ધાંતે આપણું પાસે છે. તે અર્ધમાગધી ભાષામાં છે. અત્યારે આ ભાષા ભગવાનની, દેવની તથા જનગણની ધર્મભાષા છે. તેને આપણા શ્રમ અને શ્રમણીઓ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાઓ સુખપાઠ કરે છે, પરંતુ તેને અર્થ અને ભાવ ઘણું ચેડાઓ સમજે છે. જિનાગમ એ આપણાં શ્રદ્ધેય પવિત્ર ધર્મસૂત્રો છે. એ આપણી આંખ છે. તેને અભ્યાસ કરે એ આપણી સૌની–જૈન માત્રની ફરજ છે. તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણું સદભાગ્યે જ્ઞાનદિવાકર શ્રી ઘાસીલાલ મહારાજે સત સંકલ્પ કર્યો છે અને તે લિખિત સૂત્રોને પ્રગટાવી શાદ્ધાર સમિતિ દ્વારા જ્ઞાન પરબ વહેતી કરી છે. આવા અનુપમ કાર્યમાં સકળ જૈનોને સહકાર અવશ્ય હવે ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્ન કરવા ઘટે. ભ૦ મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હે ભગવાન, સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? ભગવાન તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રતની આરાધનાથી જીવેના અજ્ઞાનને નાશ થાય છે, અને તેઓ સંસારના કલેથી નિવૃત્તિ મેળવે છે, અને સંસાર કલેશથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતાં મોક્ષના ફળની પ્રાપ્તિ થાય છે. આવા જ્ઞાનકાર્યમાં મૂર્તિપૂજક જૈનો, દિગંબર અને અન્ય ધર્મિઓ હજારો અને લાખ રૂપીયા ખચે છે. હિંદુ ધર્મમાં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેંકડે નહિ પણ હજારો ટીકા ગ્રંથે દુનિયાની લગભગ સર્વ ભાષાઓમાં પ્રગટ થયા છે. ઈસાઈ ધર્મના પ્રચારકો તેમના પવિત્ર ધર્મગ્રન્થ બાઈબલના પ્રચારાર્થે તેનું જગતની સર્વ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy