________________
નવાઈ નથી. અને પૂ. શ્રી ઘાસીલાલજીના બનાવેલાં સૂત્રો જેમાં સૌ કેઈને ખાત્રી થાય તેમ છે કે દામોદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે બરાબર ફળીભૂત થયેલ છે.
શ્રી વર્ધમાન શ્રમણસંઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ઘાસીલાલજી મહારાજના સૂત્રો માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ. ના સૂત્રોની ઉપયોગિતાની ખાત્રી થશે.
આ સૂત્ર વિદ્યાથીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાચકે ને સર્વને એક સરખી રીતે ઉપયોગી થઈ પડે છે. વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને મૂળ તથા હિંદી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી આખું સૂત્ર સરળતાથી સમજાય છે.
કેટલાકને એ ભ્રમ છે કે સૂત્રો વાંચવાનું કામ આપણું નહિ, સૂત્ર આપણને સમજાય નહિ. આ ભ્રમ તદ્દન ખેટે છે. બીજા કેઈ પણ શાસ્ત્રીય પુસ્તક કરતાં આ સૂત્રો સામાન્ય વાચકને પણ ઘણું સરળતાથી સમજાઈ જાય છે. સામાન્ય માણસ પણ સમજી સકે તેટલા માટે જ ભગવાન મહાવીરે તે વખતની લેકભાષામાં (અર્ધમાગધી ભાષામાં) સૂત્રો બનાવેલાં છે. એટલે સૂત્રો વાંચવા તેમજ સમજવામાં ઘણું સરળ છે.
માટે કઈ પણ વાંચકને એને ભ્રમ હોય તે તે કાઢી નાંખવે અને ધમનું તેમજ ધર્મને સિદ્ધાંતનું સાચું જ્ઞાન મેળવવા માટે સૂત્રો વાંચવાને ચૂકવું નહિ. એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં સૂત્રો જ વાંચવાં,
સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થાજૈન શાસ્ત્રોદ્ધાર સમિતિએ જે કામ કર્યું છે. અને કરી રહી છે તેવું કઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું નથી.
સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલ્લા રિપોર્ટ પ્રમાણે બીજા છ સૂત્રો લખાચેલ પડ્યા છે, બે સૂત્રો-અનુગદ્વાર અને ઠાણાંગ સૂત્ર–લખાય છે. તે પણ છેડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી બાકીના સૂત્રો હાથ ધરવામાં આવશે.
તૈયાર સૂવે જલદી છપાઈ જાય એમ ઇચ્છીએ છીએ અને સ્થા. બંધુઓ, સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમનાં સૂત્રો ઘરમાં વસાવે એમ ઈચ્છીએ છીએ.
જૈન સિદ્ધાંત પત્ર–મે ૧૯૫૫