________________
* શતાવધાની સુનિશ્રી જયંતીલાલજી મહારાજશ્રીને અમદાવાદને પત્ર “સ્થાનકવાસી જૈન તા ૫-૯-૫૭ના અ માં છપાએલ છે જે નીચે મુજબ છે.
સૂત્રના મૂળ પાઠમાં ફેરફાર હોઈ શકે ખરે?
તા ૭-૮-૫૭ના જ અત્રે બિરાજતા શાસ્ત્રોદ્ધારક આચાર્ય મહારાજશ્રી ઘામલાલજી મહારાજ પાસે, મારા ઉપર આવેલ એક પત્ર લઈને હુ ગયો હતો, તે સમયે મારે પૂ મ સા સાથે જે વાતચીત થઈ તે સમાજને જાણ કરવા સારૂ લખું છું
શાનું કામ એક ગહન વસ્તુ છે અપ્રમાદી થઈ તેમા અવિરત પ્રયત્નો કરવા જોઈએ, સપૂર્ણ શાસ્ત્રનું જ્ઞાન તેમજ દરેક પ્રકારની ખાસ ભાષાઓનું જ્ઞાન હોય તેજ આગમેદ્ધારનું કાર્ય સફળતાથી થાય આ પ્રકારને પ્રયત્ન હાલ અમદાવાદ ખાતે સરસપુર જૈન સ્થાનકમાં બિરાજતા પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કરી રહ્યા છે શા-લેખનનું આ કાર્ય થઈ રહ્યું છે, તેમાં અનેક વ્યક્તિઓને અનેક પ્રકારની શાકાઓ થાય છે તે પૈકી શાસ્ત્રના મૂળ પાઠમાં ફેરફાર થાય છે ? કરવામાં આવે છે? એ પ્રશ્ન પણ કેટલાકને થાય છે અને તે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે, કેમકે અમુક મુનિરાજે તરફથી પ્રગટ થયેલ સૂત્રોના મૂળ પાઠમાં ફેરફાર થયેલા છે જેથી આ કાર્યમાં પણ સમાજને શીકા થાય
પણ ખરી રીતે જોતા, અત્યારે જે શાસ્ત્રોદ્ધારનું કામ ચાલી રહ્યું છે તે વિષે સમાજને ખાત્રી આપવામાં આવે છે કે, શાસ્ત્રોદ્ધારસમિતિ તરફથી અત્યાર સુધીમાં પ્રગટ થયેલા આગમના મૂળ પાઠમા જરાપણ ફેરફાર કરવામાં આવેલ નથી અને ભવિષ્યમાં જે સૂત્રો પ્રગટ થશે તેમાં ફેરફાર થશે નહિ તેની સમાજ નેધ લે
શતાવધાની શ્રી જયત મુન-અમદાવાદ