________________
શ્રી ઉપાશક દશાંગ સૂત્રને માટે અભિપ્રાય મૂળ સૂત્ર તથા પૂ. મુનિશ્રી ઘાસીલાલજીએ બનાવેલ સંસ્કૃત છાયા તથા ટીકા અને હિંદી તથા ગુજરાતી-અનુવાદ સહિત :
પ્રકાશક-અ. ભા. છે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, ગરેડીઆ કુવા રોડ, ગ્રીન લેજ પાસે, રાજકેટ. (સૌરાષ્ટ્ર) પૃષ્ઠ ૬૧૬ બીજી આવૃત્તિ બેવડું (મોટું) કદ. પાકું પઠું. જેકેટ સાથે સને ૧લ્પ૬ કિંમત ૮-૮-૦
આપણું મૂળ બાર અંગ સૂત્રમાંનું ઉપાશક દશાંગ એ સાતમું અંગ સૂત્ર છે; એમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકે શ્રાવકનાં જીવનચરિત્રે આપેલાં છે તેમાં પહેલું ચરિત્ર આનંદ શ્રાવકનું આવે છે. - આનંદ શ્રાવકે જૈન ધર્મ અંગીકાર કર્યો અને બારવ્રત ભગવાન મહાવીર પાસે અંગીકાર કરી પ્રતિજ્ઞા (પ્રત્યાખ્યાન) લીધાં તેનું સવિસ્તર વર્ણન આવે છે. તેની અંતર્ગત અનેક વિષયો જેવા કે, અભિગમ, કાલકસ્વરૂપ, નવતત્વ, નરક દેવલોક વગેરેનું વર્ણન પણ આવે છે.
આનંદ શ્રાવકે બાર વ્રત લીધા તે બારે વ્રતની વિગત અતિચારની વિગત વગેરે બધું આપેલું છે. તે જ પ્રમાણે બીજા નવ શ્રાવકેની પણ વિગત આપેલ છે
ના આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં રિહંત જેરું શબ્દ આવે છે. મૂર્તિપૂજકે મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે તેને અર્થ અરિહંતનું ચિત્ય (પ્રતિમા) એ કરે છે. પણ તે અર્થ તદન છેટે છે. અને તે જગ્યાએ આગળ પાછળના સંબંધ પ્રમાણે તેને એ ખેટ અર્થ બંધ બેસતો જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામાં અનેક રીતે પ્રમાણે આપી સાબિત કરેલ છે અને ગતિ જોયા ને અર્થ સાધુ થાય છે તે બતાવી આપેલ છે.
" આ પ્રમાણે આ સૂત્રમાંથી શ્રાવકના શુદ્ધ ધમની માહિતી મળે છે તે ઉપરાંત તે શ્રાવકેની ત્રાદ્ધિ, રહેઠાણ, નગરી વગેરેના વર્ણને ઉપરથી તે વખતની સામાજિક સ્થિતિ, રીતરિવાજે રાજવ્યવસ્થા વગેરે બાબતેની માહિતી મળે છે. - એટલે આ સૂત્ર દરેક શ્રાવકે અવશ્ય વાંચવું જોઈએ એટલું જ નહિ પણ
વારંવાર અધ્યયન કરવા માટે ઘરમાં વસાવવું જોઈએ. આ પુસ્તકની શરૂઆતમાં વિદ્ધમાન શ્રમણ સંઘના આચાર્યશ્રી આત્મારામજી મહાજનું સંમતિ પત્ર તથા બીજા સાધુઓ તેમજ શ્રાવકના સંમતિ પત્રે આપેલા છે, તે સૂત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે છે.
* * “જૈન સિદ્ધાંત” જાન્યુઆરી, ૫૭