________________
સ્વયમેવ દીક્ષા લીધી. ત્યાર બાદ ભદ્રા શેઠાણીએ પિતાને કુમારને ગુરુને સોંપી દીધા તેજ રાત્રે તેણે બારમી ભિખુની ડિમા અંગીકાર કરી અને શિયાળના પરીષહથી કળ કરી નલીન ગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનોદકુમાર સ્વયં દીક્ષિત થયા.
પ્ર. ૨. આવા વૈરાગી જીવને આ ભયંકર પરીષહ કેસ આવે ?
ઉત્તર-કેટલાક ચરમ શરીરી જીવને મારણાંતિક ઉપસર્ગમાં આવેલ છે. જુઓ ગજસુકુમાર મુનિ, એના મુનિ, કેશવ શુન, કારણ કે તેમની સત્તામાં હજારે ભવનાં કર્મ હોવા જોઈએ ત્યારે તેમને એકદમ મોક્ષ જવું હતું, તે મારણ તિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખરે? બા. બ્ર. શ્રી વિનોદમુનિને આ પરીષહ આવે, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હેય.
શ્રી વિનોદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષ'માં છપાયેલ છે તેમાંથી પાર રૂપે અહી સક્ષેપ કરેલ છે.