________________
બા.બ્ર. શ્રી વિનોદયુનિનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
પરમ વૈરાગી અને દયાના પુંજ જેવા આ પુરુષનો જન્મ વિક્રમ સંવત ૧૯૨ પિ/સુદાન (આફ્રિકા)માં કે જયાં વીરાણી કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયો હતો.
શ્રી વિનોદકુમારના પુણવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વીરાણી અને મહાભાગ્યવંતા તેમના માતુશ્રીનું નામ બેન મણિબેન વીરાણી. બનેનું અસલ વતન રાજકેટ (સૌરાષ્ટ્ર) છે. બેન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનેશકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દઢધમી અને પ્રિય ધમી બન્યા હતા.
પૂર્વભવના સંસ્કારથી શ્રી વિનોદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હોવા છતાં તેઓશ્રીએ નોન-મેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી. - તેઓશ્રીએ યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલજીયમ, હોલેન્ડ, જર્મની સ્વીઝર્લેન્ડ, તેમજ ઈટાલી, ઈજીપ્ત વગેરે દેશોમાં પ્રવાસ કરેલ સં. ૨૦૦૯ના વિશાખ માસ, સને ૧૯૫૩માં લંડનમાં રાણું એલીઝાબેથના રાજ્યારોહણ પ્રસંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરનો પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કઈ વખતે પણ કંદમૂળને આહાર વાપરેલ નહીં.
ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળો જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુંદર સ્થળોની મુલાકાત લીધી હેવા છતાંએ તેઓને તે રમણીય સ્થળો કે રમણીય યુવતીઓનું આકર્ષણ થયું નહીં. એ એના પૂર્વભવના ધાર્મિક સંસ્કારને જ રંગ હતો અને એ રંગે જ તેમને તે બધું ન ગમ્યું અને તુરત ત્યાંથી પાછા ફર્યા અને સાધુ-સાધ્વીજીનાં દર્શન–કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશને લાભ લીધે અને વૈરાગ્યમાં જ મન લગાડયું. હુંડાકાલ અવસર્પિણિના આ દુષમ નામના પાંચમાં આરાનું વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કંઈક ક્ષે થતું કે તરત જ તેને ખુલાસો મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા. દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચોવિહાર આદિ પચ્ચખાણ વિ. ધર્મકાર્ય તેઓ ચૂકયા નહી ઊંચી કેટિની યાને ત્યાગ કરી તેઓ સૂવા માટે માત્ર એક શેતર છે, એક એસીકું અને ઓઢવા એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહીં પણ ભૂમિ પર જ