________________
સમય માત્રને પ્રમાદ કર ઠીક ન લાગે, તેથી શ્રી અરિહંત ભગવત તથા શ્રી સિદ્ધ ભગવતની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રવજ્યાને પાઠ ભણુને મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અંગીકાર કરી છે. સમાજને ટે ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારે વૃત્તાંત પ્રગટ કર ઉચિત છે.
ઉત્તરાધ્યયનજી સૂત્રના ૧૯મા અધ્યયન પરથી મને લાગ્યું કે મનુષ્ય જીવનનું ખરૂં કર્તવ્ય મેક્ષફળ આપનારી દીક્ષા જ છે.
' છેવટ સુધી મેં મારા બાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા બાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં ઘણું કહી શકતા ન હતા અને બીજી બાજુથી મને થયું કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે જરાપણું પ્રમાદ કર ઉચિત નથી. તેથી મેં વિચારીને આ પગલું ભર્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે શ્રી વિરપ્રભુ મહાવીર સ્વામીને સકળ સંઘ મારા આ કાર્યને અનુદશે જ “તથાસ્તુ.
રાજકેટમાં શ્રી વિનોદકુમારના ગયા પછી પાછળથી ખબર પડી કે વિનેદકુમાર દેખાતા નથી એટલે તપાસ થવા માંડી ગામમાં ક્યાંય પત્તો ન લાગ્યો એટલે બહારગામ તારો કર્યા. ક્યાંયથી પણ સંતોષકારક સમાચાર સાંપડ્યા નહીં. અર્થાત પૉા મળે જ નહીં. આમ વિમાસણના પરિણામે તેમના પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદ આવી તે એ હતી કે તે બખતે શ્રી વિનોદકુમારે આજ્ઞા માગેલી કે “બાપુજી ! આપની આજ્ઞા હોય તો આ ચાતુર્માસમાં ખીચન (રાજસ્થાન) જાઉં કારણ કે ખીચનમાં પૂ. ગુરુમહારાજ શ્રી સમરથમલજી મહારાજ કે જેઓ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે જેઓશ્રી પાસે શાભ્યાસ કરવા માટે પૂ શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે. તે મારી ઇચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે.
' આ વાતચીતનું સ્મરણ પિતાશ્રીને આવવા સાથે તેઓએ પપૂર્ણચંદ્રજી દકેને પોતાની પાસે બોલાવ્યા અને વિનોદકુમાર માટેની પોતાની ચિંતા વ્યક્ત કરી. પડિતનું આ વાતને સમર્થન મળ્યું. તેઓશ્રીએ જણાવ્યું કે ચેડા સમય પૂર્વે વિનોદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતું કે, ખીચનમાં કેવા પ્રકારની