________________
સ્વયમેવ દીક્ષા લીધી. ત્યાર બાદ ભદ્રા શેઠાણીએ પોતાના કુમારને ગુરુને સોંપી દીધા. તેજ રાત્રે તેણે બારમી ભિખુની પડિમા અંગીકાર કરી અને શિયાળણીના પરીવહથી કાળ કરી નલીન ગુલમ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનોદકુમાર વર્ય દીક્ષિત થયા.
પ્ર. ૨. આવા વૈરાગી જીવને આ ભયંકર પરીષહ કેમ આવે?
ઉત્તર-કેટલાક ચરમ શરીરી જીવને મારણતિક ઉપસર્ગ આવેલ છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતાર્ય મુનિ, કેશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજારે ભવનાં કર્મ હોવા જોઈએ ત્યારે તેમને એકદમ મોક્ષ જવું હતું, તે મારણ તિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખપે? બા, બ્ર. શ્રી વિનોદમુનિને આ પરીષહ આવ્યું, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હાય.
શ્રી વિનોદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી સાર રૂપે અહીં સંક્ષેપ કરેલ છે.