________________
દીક્ષા પછી અઢી મહિનાને આંતરે ફલદી ચેમાસા દરમ્યાન શ્રી વિનેમુનિને હજતે જવાની સંજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યું કે બહુ ગરમી છે, જરાવાર થોભી જાવ એટલે શ્રી વિનેદમુનિએ રજોહરણ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રોકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉં છું, જલદી પાછા ફરીશ કાળની ગહન ગતિને દુખદ્ રચના રચવી હતી. આજે જ હાજતે એકલા જવાને બનાવ બન્યો હતો, હંમેશાં તે બધા સાધુઓ સાથે મળીને દિશાએ જતા.
હાજતથી મોકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઈન ઉપર બે ગાય આવી રહી હતી. બીજી બાજુથી ટેઈન પણ આવી રહી હતી તેની વ્હિસલ વાગવા છતાં પણ ગાયે ખસતી ન હતી શ્રી વિનોદમુનિનું હદય થરથરી ઉઠયું અને મહા અનુકંપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજોહરણું લઈ જાનના જોખમની પરવા કર્યા વગર ગાયોને બચાવવા ગયા. ગાયોને તે બચાવી જ લીધી પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત જે રજોહરણ કે વિનોદમુનિને આત્માથી વધારે પ્યારું હતું, તે રેલ્વે લાઈન ઉપર પડી ગયું. અને શ્રી વિનોદમુનિએ તે પાછું સંપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પોતાનું બલિદાન આપ્યું. અરિહંત અરિહંત એવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયું. રક્ત પ્રવાહ છૂટી પડે અને થોડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયે, બધા લેકે કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યા અંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી.
હમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ ફલોદથી પિકરણ તરફ જવાની રેલ્વે લાઈન હતી. આ લાઈન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી ત્યાં રસ્તે પણ છે એટલે પશુઓની અવરજવર હોય છે. અને વખતે વખત ત્યાં ઢેરા રેલવેની હડફેટે ચડી જવાના પ્રસંગ બને છે.
, ફલદી સંઘે આ દુર્ઘટનાના ખબર રાજકેટ, ટેલીફેનથી આપ્યા. જે વખતે ટેલીફાન આવ્યા. તે વખતે વિનાદમુનિના પિતાશ્રી બહાર ગયા હતા. અને માતુશ્રી મણિબેન સામાયિક–પ્રતિક્રમણુમાં બેઠાં હતાં, માત્ર એક નેકર જ ઘરમાં હતું કે જેણે ટેલિફોન ઉઠાવ્યો પણ તે કાંઈ ટેલીફેનમાં ' હકીકત સમજી શક્યો નહીં અને સાચા સમાચાર મોડા મળ્યા. જેથી તેઓ સ્પેશ્યલ પ્લેનથી ફલદી પહોંચે તે પહેલાં અગ્નિસંસ્કાર થઈ ગયો સૂચનાને ટેલીફેન