________________
સગવડ છે? આમ મારી સાથે પણ વાર્તાલાપ થયું હતું. બનેને આ પ્રમાણે એકમત થતાં પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી. તા. ૨૬-૫-૧૭ના રાજ પૃથ્વીરાજજી માલ ખીચન (રાજસ્થાન) ઉપર તાર કર્યો.
તા. ૨૮–૨–૧૭ના રોજ જવાબ આવ્યું કે શ્રી વિનોદભાઈએ ખીચનમાં સ્વયંમેવ દીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવબહાદુરી એમ. પી. સાહેબ, શ્રી. કેશવલાલભાઈ પારેખ અને પંડિતજી પૂર્ણચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનોદકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મોકલ્યા તા. ૨૮-૫૫૭ના રોજ રવાના થઈ તા ૩૦-૫–૧૭ના રોજ સવારે ફલેદી સ્ટેશને પહોંચ્યા. બેલગાડીમાં તેઓ ખીચન ગયા કે જ્યાં સ્થિવર મુનિશ્રી શીમલજી મહારાજ પૂજય પંડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમર્થમલજી મહારાજ આદિ ઠાણું ૮ તથા પૂજ્ય તપસ્વી મહારાજ શ્રી લાલાચંદજી મહારાજ આદિ ઠાણા ૪ બિરાજતા હતા કુલ્લે સાધુ-સાધ્વીની સ ખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી
પૂછપરછના જવાબમાં શ્રી વિનોદમુનિએ કેશવલાલભાઈ પારેખને કહ્યું કે “મે તે દીક્ષા અંગીકાર કરી લીધી છે. તેમાં કોઈ ફેરફાર થાય તેમ નથી તમે અમારા વીરાણી કુટુંબના હિતેષી છે અને જે સાચા હિતિષી હો તો મારા પૂ. બા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની મોટી દીક્ષાની આજ્ઞા અઠવાડીઆની આ દર અપાવી દ્યો એટલું જ નહીં પણ “સવિ જીવ કરું શાસન રસી” ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારનો બદલામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ હોય જ અને છે કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સગતિને સાધે. અર્થાત્ મારી સાથે દીક્ષા લીએ.
આવા દઢ જવાબના પરિણામે તે જ સમયે શ્રી વિનેદકુમારને પાછા લઈ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧–૫–૫૭ ની રાત્રીના રવાના થઈ, તા. ૨–૬–૧૭ ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રને અનુભવ કરી, શ્રી વિનોદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યા.
થોડા વખતમાં ફદીના શ્રી સ થે પૂ. શ્રી લાલચંદજી મહારાજને ફલેદીમાં ચોમાસુ કરવાની વિનતી કરી તેનો અસ્વીકાર થવાથી સંઘ ગમગીન બન્યું એટલે નિર્ણય ફેરવ્યો અને અષાઢ સુદ ૧૩ ના રોજ ખીચનથી વિહાર કરી ફલદી આવ્યા.