________________
૧૩
સમય માત્રને પ્રમાદ કરે ઠીક ન લાગે, તેથી શ્રી અરિહંત ભગવંતે તથા શ્રી સિદ્ધ ભગવતની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રવ્રાજ્યને પાઠ ભણીને મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અંગીકાર કરી છે. સમાજને ટે ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં નનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારો વૃતાંત પ્રગટ કરવો ઉચિત છે.
ઉત્તરાધ્યયનછ સૂત્રના ૧૯ મા અધ્યયન પરથી મને લાગ્યું કે મનુષ્ય જીવનનું ખરૂં કર્તાવ્ય મેક્ષફળ આપનારી દીક્ષા જ છે
છેવટ સુધી મેં મારા બાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા બાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતો ન હતો અને બીજી બાજુથી મને થયું કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે મારે જરા પણ પ્રમાદ કર ઉચિત નથી. તેથી મેં વિચારીને આ પગલું ભર્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીને સકળ સંઘ મારા આ કાર્યને અનુમોદશે જ “તથાસ્તુ”
રાજકેટમાં શ્રી વિનોદકુમારના ગયા પછી પાછળથી ખબર પડી કે વિનોદ કુમાર કેમ દેખાતા નથી એટલે તપાસ થવા માંડી ગામમાં કયાંય પત્તો ન લાગે એટલે બહરગામ તારે કર્યા કયાંયથી પણ સતેષકારક સમાચાર સાંપડયા નહીં. અર્થાત્ પત્તો મળે જ નહીં. આમ વિમાસણના પરિણામે પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદી આવી. તે એ હતી કે તે વખતે શ્રી વિનોદકુમારે આજ્ઞા માગેલી કે “બાપુજી! આપની આજ્ઞા હોય તે આ ચાતુર્માસ ખીચન (રાજસ્થાન) જાઉં કારણ કે ખીચનમાં પૂ. ગુરુમહારાજ શ્રી સમર્થમલજી મહારાજ કે જેઓ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે જેઓશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ. શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણું ૪ જવાના છે. તો મારી ઇચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે.”
આ વાતચીતનું સ્મરણ પિતાશ્રીને આવવા સાથે તેઓએ પં. પૂર્ણચદ્રજી દકને પિતાની પાસે બોલાવ્યા અને વિનોદકુમાર માટેની પિતાની ચિંતા વ્યક્ત કરી. પંડિતજીનું આ વાતને સમર્થન મળ્યું. તેઓશ્રીએ જણાવ્યું કે થોડા સમય પૂર્વે વિનદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતું કે, ખીચનમાં કેવા પ્રકારની