________________
૧૨.
જોધપુર જંકશન થઈને તા. ૨૬-૫–૫૭ ની વહેલી સવારે 8 વાગ્યે ફલેદી પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં પહોંચ્યા અને ઉપાશ્રયમાં બિરાજતા મુનિવરોના દર્શન કર્યા વંદણ નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યાં અને પિતાના સામાયિકના કપડાં પહેર્યા અને પછી પૂજ્ય શ્રી મુનિવરોની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં “નાવ નિયન sagવામિ વિવું તિવિષi” ના બદલે “નાર spવામિ રિવિ સિવિશે બોલ્યા તે શ્રી લાલચંદજી મહારાજે સાભળ્યું અને તેઓશ્રીએ પૂછયું કે “વિનોદકુમાર ! તમે આ શુ કરે છે, તેને જવાબ આપવાને બદલે “મા વોસિરામિ બેલી પાઠ પૂરો કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને બોલ્યા કે “સાહેબ! એ તો બની ચૂક્યું અને મેં સ્વયમેવ દીક્ષા લઈ લીધી, બરાબર જ છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કોઈ પણ પ્રકારની આજ્ઞા હેય તે ફરમાવો ”
તે જ દિવસે બપોરના શાસ્ત્રજ્ઞ પૂ. મુનિશ્રી સમર્થમલજી મહારાજ સાહેબે શ્રી વિનોદકુમાર મુનિને પોતાની પાસે બોલાવ્યા અને સમજાવ્યા કે “તમે એક સારા ખાનદાન કુટુંબના વ્યક્તિ છે તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત બરાબર નથી કારણ કે તમારા માતા-પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખે જેથી તમો શ્રાવક ગણાવ અને જરૂર પડે તો શ્રાવકને સાથ લઈ શકે, એમ ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલ કે “જે થયું, તે થયુ હવે મારે આગળ શું કરવું તે ફરમાવો”
શ્રી વિનોદમુનિના શ્રી સમર્થમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનનો ચતુર્વિધ સંઘ વિચારમાં પડી ગયેલ અને મુનિશ્રીઓ પર સ સારીઓને કોઈ પણ પ્રકારને આ નિષ્કારણ હુમલો ન આવે તે માટે શ્રી વિનોદમુનિને જણાવવામાં આવ્યું કે “ અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે” ત્યારે શ્રી વિનોદમુનિએ પિતાના હસ્તાક્ષરે નિવેદન શ્રી સંઘ સમક્ષ પ્રગટ કર્યું, તેને સાર નીચે મુજબ છે :
મારા માતા-પિતા મોહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “ચાંવયં વિર મા પમાયg1 ને આધારે એક ક્ષણ પણ દીક્ષાથી વચિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબ-વગેરેએ મને મારી દીક્ષા માટે વિચારી પછી કરવાનું કહેલ પરંતુ મને