________________
૩૩ " આઘ મુરબીશ્રી ભાણવડનિવાસી શેઠ હરખચંદ કાલીદાસ
વારીયાનું જીવનચરિત્ર
આ સંસ્થાને રૂ. ૬૦૦૦) છ હજાર જેવી રકમનું વાતવાતમાં દાન આપનાર સ્વ. શ્રીમાન્ હરખચંદ કાલીદાસ વારીયા ભાણવડનિવાસીનું ટુંક જીવનચરિત્ર અત્રે આપવા પ્રયાસ કરીએ છીએ. સૂત્રમાં તેઓશ્રીને ફેટે આપવા માટે તેઓશ્રીની હયાતીમાં વાત થયેલ, પરંતુ તેઓ આ જાતની જાહેરાતથી વિરૂદ્ધ હતા. તેમના અવસાન બાદ તેમના સુપુત્રો આગળ પણ ફટાની માગણી કરી પરંતુ તેઓએ પણ તેમના પૂ. પિતાજીના પગલે ચાલી ફેટ આપવામાં નારાજી બતાવી. એટલે તેઓશ્રીનું ટુંક જીવન આપીએ છીએ. આશા છે કે આવા ઉદાર અને વિચારશીલ મહાનુભાવના જીવનમાંથી વાચકને ઘણું મળી રહેશે.
જન્મસ્થાનઘડેચી (ઓખામંડળ) તા. ૨૫-૧૧-૧૮૮૫ પિતાનું નામ–વારીયા કાલીદાસ મેઘજીભાઈ માતાનું નામ–કેસરબાઈ અભ્યાસ–ભાણવડ અને પોરબંદરમાં રહી ફકત ગુજરાતી જરૂરત પૂરતું ભણ્યા પરદેશગમન—માત્ર બાર વર્ષની વયે તેમના કાકા નથુભાઈ મેઘજીને ત્યાં
જેલા ખાતે અનુભવ મેળવવા રહ્યા દરમ્યાન જેલા (બી. સેમાલીલેન્ડ) જીબુટી (ફેન્ચ સોમાલીલેન્ડ) એડન અને ઈથીએપીઆ તરફ
પણ અનુભવ મેળવ્યા. પ્રથમ ભાગીદારી–બુલહારમાં શ્રી. કાલીદાસ વેલજીના ભાગમાં ભળ્યા પરંતુ
સંવત ૧૯૯૭માં તે દુકાન વીટી લીધી અને લગ્ન માટે સ્વદેશ આવ્યા.
લગ્ન--સંવત ૧૯૬૭ માં તેમનાં લગ્ન બાજુના ગામ ગુંદા મુકામે ખૂબ જ
પ્રતિષ્ઠિત કુટુંબ મહેતા સુંદરજી પ્રેમજીના જ્યેષ્ઠ પુત્ર ભોવાન સુંદરજીનાં
સુપુત્રી મણીબેન સાથે થયાં. પરિવાર–અત્યારે તેમના પાંચે પુત્ર શ્રી લાલચંદભાઈ જયચંદ્રભાઈ, નગિન
દાસભાઈ, વૃજલાલભાઈ અને વલ્લભદાસભાઈ એ પાંચે ભાઈઓ તેઓશ્રીને બહોળા વ્યવહાર અને વ્યાપાર બરાબર સુગ્ય રીતે સંભાળી રહ્યા છે.