________________
એ જાળવી રહ્યા છે અનેક શિક્ષણ સંસ્થાઓ માટે આજે પણ એ પિતાની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી સમય બચાવી લે છે, એજ તેમનાં વિદ્યાપ્રેમને સચોટ પુરાવો છે. ઉદ્યોગ તે તેમને વારસામાં જ મળે છે અને એ વારસાને તેમણે શોભાવ્યું છે.
એમની દષ્ટિ આજનાં પ્રશ્નોને વૈજ્ઞાનિક રીતે છણવાની તે છે જ પણ આવતી કાલને પણ તેઓ એ જ વિજ્ઞાનિક અને વ્યવહારિક દૃષ્ટિથી નિહાળતાં હોય છે અને એટલે જ તો એમના સંચાલન તળે ચાલતી ચાર મિલે કાપડ ઉદ્યોગમાં સુંદર પ્રતિષ્ઠા જમાવી શકેલ છે. આ ઉપરાંત જુદી જુદી વ્યાપારી પ્રવૃત્તિઓ કરતી ઘણું કપનીઓમાં તેઓ ડીરેકટર તરીકે રહી ચગ્ય માર્ગદર્શન અને દેરવણી આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર ફાઇનેન્સીયલ કેરપરેશનનાં તેઓ ડિરેકટર છે સૌરાષ્ટ્ર મિલ માલિક મંડળમાં તે તેઓ તેમની સ્થાપના થઈ ત્યારથી ઉડો રસ દાખવે છે. હજુ હમણાં સુધી સતત પાંચ પાંચ વર્ષ સુધી તેનાં પ્રમુખપદે રહી તેમણે સૌરાષ્ટ્રના આ ઉદ્યોગની કરેલી સેવાઓ ખરેખર અભિનદનને યોગ્ય છે. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિનાં તેઓ પ્રમુખ છે અને તેની પ્રવૃત્તિમાં ઘણા ઉત્સાહથી હંમેશાં મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક જૈન ને જૈનેતર સામાજીક સંસ્થાઓને તેઓ સેવાઓ આપી રહ્યા છે.