________________
જેનસિદ્ધાંતના તંત્રીશ્રીને અભિપ્રાય થાનકવાસીઓમાં પ્રમાશ્વભૂત સૂત્રો બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે, અને એના આ છેલા રિપિટ ઉપરથી જણાય છે કે-તેણે ઘણું સારી પ્રગતી કરી છે તે જોઈ આનંદ થાય છે.
મૂળ પાઠ, ટીકા, હિંદી તથા ગુજરાતી અનુવાદ સહિત સૂત્ર બહાર પડવાં એ કાંઈ સહેલું કામ નથીએ એક મહાભારત કામ છે અને તે કામ આ શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનકવાસી સમાજ માટે ઘણું ગૌરવ વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે.
સમિતિ તરફથી નવસૂત્ર બહાર પડી ચુક્યાં છે, હાલમાં ત્રણ ક્ષેત્રે છપાય છે. નવ સૂત્રો લખાઈ ગયાં છે અને જંબુંદીપ પ્રજ્ઞપ્તિ તથા નંદીસત્ર તૈયાર થઈ રહ્યાં છે.
હાલમાં મંત્રી શ્રી સાકરચંદ ભાઈચંદ સમિતિના કામમાં જ તેમને આ વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણે વેગ આપી રહ્યા છે. તેમના અંત માટે ધન્યવાદ.
અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકર્તા તે છે વૃદ્ધ પંડિત મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ. મૂળ પાઠનું સંશોધન તથા સંસ્કૃત ટીકા તેઓશ્રી જ તૈયાર કરે છે. મુનિશ્રીને આ ઉપકાર આખાય સ્થા. જૈન સમાજ ઉપર ઘણે મહાન છે. એ ઉપકારનો બદલે તે વાળી શકાય તેમ નથી.
પરંતુ આ સમિતિના મેમ્બર બની તેના બહાર પડેલાં સૂત્રો ઘરમાં વસાવી તેનું અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનું થોડું ઋણ અદા કર્યું ગણાય.
ભગવાને કહ્યું છે કે દi તો હુ પહેલું જ્ઞાન પછી દયા, દયા ધર્મ યથાર્થ સમજે છે તે ભગવાનની વાણીરૂપ આપણા સૂત્રો વાંચવાં જ જોઈએ તેનું અધ્યયન કરવું જોઈએ અને તેને ભાવાર્થ સમજ જોઈએ.
એટલા માટે શાસ્ત્રોદ્ધાર સમિતિના સર્વ સૂત્રે દરેક સ્થા. જેને પોતાના ઘરમાં વસાવવાં જ જોઈએ સર્વ ધર્મજ્ઞાન આપણા સુમાંજ સમાયેલું છે અને સૂત્રો સહેલાઈથી વાંચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા. જૈન આ સૂત્રે વાંચે એ ખાસ જરૂરનું છે.
“જૈન સિદ્ધાંત” ડિસેમ્બર–પ૬